શીતળ સહવાસ
શીતળ સહવાસ
તાઃ૧/૧૨/૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક નિરાળી,સાચા સંબંધે જ સચવાય
આવી આંગણે પ્રેમ મળે.જે શીતળ સહવાસે મેળવાય
. ……………માનવતાની મહેંક નિરાળી.
ભુતકાળની આ સાંકળ ન્યારી,જ્યાં સંબંધ સચવાય
પ્રેમ નિખાલસ મળતાં જીવને,હૈયાય ઉભરાઇ જાય
દેખાવનો ના અણસાર મળે,ના મોહમાયાય દેખાય
શીતળતાના સહવાસને મેળવી,પ્રેમજપકડાઇ જાય
. …………..માનવતાની મહેંક નિરાળી
મળતી માનવતા જીવનમાં,જ્યાં નિર્મળ પ્રેમ થાય
નાસંબંધ કોઇ જાતનોરહે જ્યાં સાચી પ્રીત મેળવાય
આજકાલના ના તોરણ દેખાય,એતો આંખોમાં દેખાય
સફળતા મળતાં જીવનમાં,સર્વ કામ સફળ થઈજાય
. …………….માનવતાની મહેંક નિરાળી.
++++++++++++++++++++++++++++++++