November 1st 2011

વાણીવર્તન

.                       વાણીવર્તન

તાઃ૧/૧૧/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતાં માનવીનો જીવને,અવની એ આવી જાય
મળે જીવને સાર્થક જન્મ,જો દેહે વાણીવર્તન સચવાય
.                      …………..દેહ મળતાં માનવીનો જીવને.
કામણગારી કાયા મળતાં જીવે,મોહમાયા વળગી જાય
કળીયુગની એક જ લહેર મળે,જે આ દેહને જકડી જાય
સમજી વિચારી શબ્દ બોલતાં,વાણી ત્યાં સચવાઇ જાય
મળતીમોહની કેડીઓને છોડવા,મળેલ માર્ગને સમજાય
.                         ………….દેહ મળતાં માનવીનો જીવને.
દેહને મળેલ ઝંઝટના સોપાનને,સમજી વિચારીને ચઢાય
આફત આવતી દુર રહે  દેહથી,જ્યાં વર્તન પ્રેમ દઈ જાય
મળે સાથ સંગાથીઓને સાચો,પ્રેમના બંધન જ્યાં બંધાય
ભક્તિપ્રેમની છે પ્રીત નિરાળી,જે અંતરને શાંન્તિ દઈજાય
.                        …………..દેહ મળતાં માનવીનો જીવને.

*******************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment