October 7th 2011
. સમયનો સાથ
તાઃ૭/૧૦૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી લેતા આંગળી સમયની,સઘળુ સચવાઇ જાય
ચુકી જતાં એક પળ જીવનમાં,સઘળુય વેડફાઇ જાય
. ………….પકડી લેતા આંગળી સમયની.
મળતા દેહ અવનીએ જીવને,જગે માબાપ મળી જાય
બાળપણની કેડીને કુદતાં દેહ,જુવાનીએ લપટાઇજાય
જુવાનીના જોશને સાચવતાં,ઘણું બધુ સમજાઇ જાય
કુદરત કેરા ન્યાયમાં,સમય જીવને ઘણુંય આપી જાય
. …………પકડી લેતા આંગળી સમયની.
ઝટપટની ઝંઝટ જ્યાં મુકી,ત્યાં સફળ કામ થઈ જાય
શ્રધ્ધા એ સમજ જીવની,જે સાચી ભક્તિએ સમજાય
સુખ દુઃખ એતો દેહનીચાવી,ના જીવને કાંઇજ લગાર
સમય આવે સમજાય જીવને,જે મતીને બદલી જાય
. …………પકડી લેતા આંગળી સમયની.
*********************************************
October 3rd 2011
. શા માટે?
તાઃ૩/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન કર્મની કેડી જોવા,મળી જાય આ માનવ જન્મ
ભક્તિભાવ તો દેહની શુધ્ધિ,થઈ જાય ત્યાં પવિત્ર કર્મ
. …………..પાવન કર્મની કેડી જોવા.
પ્રભાત ઉજળી પામી લેવા,શુધ્ધ ભાવનાએ પુંજન થાય
ભક્તિકેરી દોર પકડીને ભજતાં,પ્રભુકૃપા પણ મળી જાય
સંતનીસેવા મનથી કરતાં,પાવન રાહ જીવથી મેળવાય
મળી જતી હોય જલાસાંઇની કૃપા,તો શા માટે ના પુંજાય
. ……………..પાવન કર્મની કેડી જોવા.
માયા મોહના બંધનને છોડી,જીવને મળે ભક્તિનો સંગાથ
અન્નદાનની પ્રીત પકડતાં,ભગાવી દીધા જલાએ જગદીશ
શ્રધ્ધા,સબુરી એક છે બતાવી,બાબાએ કરી માનવતાપ્રીત
મળેજો જીવને પ્રીતપ્રભુની,તો શામાટે ના ભક્તિએ જોડાય
. ………….પાવન કર્મની કેડી જોવા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 2nd 2011
. કુદરતની રીત
તાઃ૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રેમની પ્રગટી રહે,જ્યાં જીવપર કૃપા પ્રભુની થાય
માનવજીવની ટળે વ્યાધીઓ,ને પ્રીત કુદરતની મેળવાય
. …………….જ્યોત પ્રેમની પ્રગટી રહે.
ભક્તિનો જ્યાં સાથ જીવને,ત્યાં આવતી વ્યાધી ભાગી જાય
નિત્ય સ્મરણની રીતન્યારી,જીવનમાં સદા શાંન્તિ મેળવાય
સંત જલાસાંઇની છે પ્રીત સાચી,ભક્તિ કરતાં જીવો હરખાય
આવીઆંગણે પ્રભુ બિરાજે,ત્યારે જીવને રાહ સાચી મળીજાય
. ……………જ્યોત પ્રેમની પ્રગટી રહે.
મુક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં મન ભક્તિએ પરોવાય
દુઃખનો સાગર જ્યાં દુર રહે,ત્યાં પ્રભુ કૃપાની વર્ષા થઈ જાય
અણમોલ દીપ પ્રગટી જતાં જીવથી,અનંત શાંન્તિ મેળવાય
કુદરતની આ રીત નિરાળી છે,જે સાચી ભક્તિ એજ સહેવાય
. …………..જ્યોત પ્રેમની પ્રગટી રહે.
*************************************************
September 30th 2011
. મળેલ કેડી
તાઃ૩૦/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ આવે દોડી જીવનમાં,ને દેહની રાહ સુધરી જાય
ડગમગ ચાલતી મળેલ કેડી,સાચી ભક્તિએ ભાગી જાય
. ………….શાંન્તિ આવે દોડી જીવનમાં.
અવનીએ આધાર બને જીવનો,જે મુક્તિ દ્વારે લઈ જાય
મળેલદેહ એજ ચાવી જીવની,શક્ય માનવ દેહથી થાય
ભક્તિ એતો પામર જીવને,અતુટ શ્રધ્ધાએ બચાવી જાય
જીવન શીતળ જીવી જવાથી,સાચી માનવતા મળીજાય
. ………….શાંન્તિ આવે દોડી જીવનમાં.
માગે ન મળતી કૃપા પ્રભુની,લાખોના દાન જ્યાં લેવાય
સદમાર્ગે જ્યાં જીવ ચાલતો,ત્યાં સાચા સંતોને સહેવાય
આશીર્વાદની એક જ ટપલીએ,જીવ મુક્તિ માર્ગે દોરાય
સાચી સમજણ જીવની એ છે,જે મળેલ કેડીએ સમજાય
. …………..શાંન્તિ આવે દોડી જીવનમાં.
==================================
September 24th 2011
. અનંત પ્રેમ
તાઃ૨૪/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ તારું આ મારું સાંભળતા,જીવને ઘણી મુંઝવણ થાય
આકુળ વ્યાકુળ છુટતાંદેહે,પ્રભુનો અનંતપ્રેમ મળી જાય
. …………આ તારું આ મારું સાંભળતા.
નિર્મળ વહેતી જીવનધારાએ,પવિત્ર જીવન મળી જાય
ભક્તિપ્રીત મેળવીને લેતાં,જીવને સા્ચી રાહ મળી જાય
કળીયુગના બંધન જ્યાં ભાગે,ત્યાં અનંતપ્રેમ મળી જાય
સ્વર્ગનીકેડી નજીક આવતાંજ,જીવ મુક્તિએ ખેંચાઇ જાય
. …………આ તારું આ મારું સાંભળતા.
માયાના સહવાસને ભુલતાં,પ્રભુ કૃપાએ જીવ હરખાય
સંત જલા સાંઇની ભક્તિ કરતાં,જીવને રાહ મળી જાય
કળીયુગનાબંધન છુટતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાકેરી સાચી રાહે જીવતાં,જગતપિતા પણ હરખાય
. ……………આ તારું આ મારું સાંભળતા.
================================
September 21st 2011
. .જાગૃત જીવન
તાઃ૨૧/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશા એ સાગર જીવનનો,ના કોઇથી તરી જવાય
એક પુરી થતાં જીવનમાં,બીજી સામે આવી દેખાય
. ……………આશા એ સાગર જીવનનો.
દેહ જગતપર કોઇપણ મળે,એકૃપા પ્રભુની કહેવાય
મનની વૃત્તી દરેક જીવની જગે,જે વર્તનથી દેખાય
સમજણ મનની સાચી રાહે,સાચી ભક્તિથી લેવાય
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં જીવ જાગૃત થાય
. ……………આશા એ સાગર જીવનનો.
મળેલ દેહ છે કર્મની કેડી,ગત જન્મથીજ મેળવાય
મુક્તિ મળે જીવને જન્મથી,સંતની દ્રષ્ટિ પડી જાય
મોહમાયાને પડતીમુકતાં,ભક્તિનોસાથ મળીજાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવને મુક્તિ મળી જાય
. ……………આશા એ સાગર જીવનનો.
+++++++++++++++++++++++++++++++
September 20th 2011
. . સંઘર્ષ
તાઃ૨૦/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવના બંધન જગમાં,કરેલ કર્મથી બંધાઇ જાય
મહેનત મનથી સાચી કરતાં,સંઘર્ષથીએ તરી જવાય
. …………..જન્મ જીવના બંધન જગમાં.
મળતાં પ્રેમ જગતમાં દેહને,જીવન આ હરખાઇ જાય
જીવ તણી નિર્બળતા ભાગે,ત્યાં કર્મ સબળ થઈ જાય
મળતાં એક ટકોર જીવને,પાવન રાહ પણ મળી જાય
સાચી સમજણ મેળવીલેતાં,ના આધીવ્યાધી અથડાય
. ……………જન્મ જીવના બંધન જગમાં.
આડી અવળી જીવનની કેડી,સમજણે સરળ થઈ જાય
માન સન્માનને દુર મુકતાં,જગે સૌ સંગાથી બની જાય
એકડગલાંની મહેંકમળતાં,બીજુ ડગલુ પાવન થઇજાય
સંઘર્ષનીકેડી દુરભાગતાં,જીવને સરળજીવન મળીજાય
. …………જન્મ જીવના બંધન જગમાં.
લાગણી દ્વેષ ને ઇર્ષા છે વાંકી,જ્યાં દેખાવ ભટકાઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનમાં,નમ્રતા જ વણાઇ જાય
મારું તારુંનો છુટતાં મોહ,ત્યાં કૃપા કુદરતની મળી જાય
નિરાધારનો આધારપ્રભુનો,જે મળેલજન્મ મહેંકાવી જાય
. ……………જન્મ જીવના બંધન જગમાં.
==================================
September 14th 2011
. આનંદની વર્ષા
તાઃ૧૪/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં ખુબજ આનંદ થાય,ને મન પણ મલકાઇ જાય
કુદરતની ન્યારી કેડી મળતાં,જીવે આનંદની વર્ષા થાય
. ………….અંતરમાં ખુબજ આનંદ થાય.
મોહ માયાને જીવનથી તગેડતાં,સાચી રાહ મળી જાય
પ્રેમની નાની સીડી મેળવતાં,ધીરજના ફળ મળી જાય
પામરદેહને માર્ગ મળે મુક્તિનો,ને જીવને શાંન્તિ થાય
જન્મ સફળ ને પાવન કર્મ,દેહને અવનીએ મળી જાય
. …………..અંતરમાં ખુબજ આનંદ થાય.
માન અપેક્ષા એ માનવ દેહની,ના જીવને સ્પર્શી જાય
ભક્તિ મળે જ્યાં સાચી રાહે,ત્યાં સંત કૃપા વરસી જાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને જલાસાંઇ ભજાય
આનંદની વર્ષા થતાં દેહ પર,જીવ પર કૃપા વર્ષી જાય
. ……………અંતરમાં ખુબજ આનંદ થાય.
=================================
September 6th 2011
. ભક્તિની ભીખ
તાઃ૬/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી મનને મળતી શાંન્તિ,ને સાચી શ્રધ્ધા ભાવના ફળતી
મોહમાયાના કંગન છુટતાં,ના ભક્તિની ભીખ માગવી પડતી
. ………….આવી મનને મળતી શાંન્તિ.
વાણી વર્તન તો દેહના બંધન,કદીક દઈદે એ જીવને સ્પંદન
માગણી એતો મોહની છે કેડી,જીવને લે છે એ દેહથીજ જકડી
મળીજાય માનવતાએ પ્રેમ જીવનમાં,દેહ ઉજ્વળ થઈ જાય
ના માગવીપડે કોઇભીખ જીવનમાં,જ્યાં ભક્તિપ્રેમ મેળવાય.
. ………….આવી મનને મળતી શાંન્તિ.
આવ્યા અવનીપર દેહ ધરી માનવનો,મુક્તિમાર્ગ એ દેનારો
સાચી રાહ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇની ભક્તિનો મેળો
આવી આંગણે પ્રેમ મળે પ્રભુરામનો,નાશંકા તેમાં કોઇ મનને
મળી જાય જીવને માર્ગ મુક્તિનો,જ્યાં સંગ સાચો છે ભક્તિનો
. ………….આવી મનને મળતી શાંન્તિ.
*******************************************
September 3rd 2011
. .આજકાલ
તાઃ૩/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલની ભઈ રામાયણ,જ્યાં બુધ્ધિજ અટકી જાય
પડે સપાટો જ્યાં ઇશ્વરનો,ત્યાં સધળુજ સમજાઇ જાય
. ………….આજકાલની ભઈ રામાયણ.
એક ડગલુ ભરતાં સમજે એમ,ચાર ડગલાં ચાલી જાય
નાનીનાની કેડીઓથી જીવનમાં,નાસફળતા મેળવાય
મનથી કરેલ મહેનત નિરાળી,પ્રેમભાવના મળી જાય
ગઈકાલને ભુલી જતાં જીવનમાં,આજને માણી જવાય
. …………..આજકાલની ભઈ રામાયણ.
હિંમતરાખી હૈયે જીવન જીવતાં,સાથ સૌનો મળી જાય
આવતીકાલને પારખીલેતાં,અધોગતીથી બચી જવાય
કુદરતની આ કલમ ન્યારી,જે સમજદારથી જ વંચાય
પારખી લેતાં પગલાં આજે,કાલની વ્યાધી ચાલી જાય
. …………..આજકાલની ભઈ રામાયણ.
===================================