October 2nd 2011

કુદરતની રીત

.                 કુદરતની રીત

તાઃ૨/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટી રહે,જ્યાં જીવપર કૃપા પ્રભુની થાય
માનવજીવની ટળે વ્યાધીઓ,ને પ્રીત કુદરતની મેળવાય
.                          …………….જ્યોત પ્રેમની પ્રગટી રહે.
ભક્તિનો જ્યાં સાથ જીવને,ત્યાં આવતી વ્યાધી ભાગી જાય
નિત્ય સ્મરણની રીતન્યારી,જીવનમાં સદા શાંન્તિ મેળવાય
સંત જલાસાંઇની છે પ્રીત સાચી,ભક્તિ કરતાં જીવો હરખાય
આવીઆંગણે પ્રભુ બિરાજે,ત્યારે જીવને રાહ સાચી મળીજાય
.                             ……………જ્યોત પ્રેમની પ્રગટી રહે.
મુક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં મન ભક્તિએ પરોવાય
દુઃખનો સાગર જ્યાં દુર રહે,ત્યાં પ્રભુ કૃપાની વર્ષા થઈ જાય
અણમોલ દીપ પ્રગટી જતાં જીવથી,અનંત શાંન્તિ મેળવાય
કુદરતની આ રીત નિરાળી છે,જે સાચી ભક્તિ એજ સહેવાય
.                              …………..જ્યોત પ્રેમની પ્રગટી રહે.

*************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment