અંતરની અભિલાષા
. અંતરની અભિલાષા
તાઃ૨૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલી માનવતા સમજતાં,દેહનો સહવાસ સુધરી જાય
એક કદમ માંડતા જીવનમાં,બીજા બે સરળતા દઈ જાય
. …………..મળેલી માનવતા સમજતાં.
મનથી છુટતી કળીયુગી માયા,સુખ શાંન્તિ આપી જાય
નિર્મળ સ્નેહની વર્ષા મેળવતાં,માયા મોહ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમ મેળવતાં,જીવની મતીય સુધરી જાય
મુક્તિદ્વારખોલતા સંતોથી,દેહથીજીવને મુક્તિ મળીજાય
. …………..મળેલી માનવતા સમજતાં.
મળે અંતરથી પ્રેમ માબાપનો,જ્યાં સંતાન રહી જીવાય
કુદરતની મળે કૃપા અચાનક,જ્યાં ભક્તિ માર્ગ ખોલાય
વ્યાધી આવતી અટકી જાય,જ્યાં આશીર્વાદ મળી જાય
મિથ્યા બને લેખ લખેલા,ને આ માનવજન્મ સાર્થકથાય
. ……………મળેલી માનવતા સમજતાં.
==================================