મનની સમજણ
. મનની સમજણ
તાઃ૧૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ મનની ઝંઝટ બહું,ના સમજી શકુ હું સહુ
આવી પકડે મારો કાન,સમજ મને ના આવે કહુ
. …………માનવ મનની ઝંઝટ બહું.
સરળતા છે જીવનની કેડી, નાશકે તેને કોઇ અડી
સમજણ મળતાં જીવને,ચાલે સરળ નાઆવે હેલી
અપેક્ષાની માયાછુટતાં,મળેલદેહને મળે સફળતા
સુખ શાંન્તિની રાહ મળતાં,પવિત્ર જીવન જીવતા
. ………….માનવ મનની ઝંઝટ બહું.
અપેક્ષાની માયા મળતી,કાયા જીવનમાં રઝળતી
નિર્મળ ભાવના છુટતી,વ્યાધી ત્યારે આવી મળતી
તકલીફોની વર્ષામળતાં,સમજ નાઆવેકેડી ત્યાંથી
મનનીસમજણ મુંઝવણબનતા,પ્રભુકૃપા દુર રહેતા
. ……………માનવ મનની ઝંઝટ બહું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦