October 3rd 2011

શા માટે?

.                    શા માટે?

તાઃ૩/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન કર્મની કેડી જોવા,મળી જાય આ માનવ જન્મ
ભક્તિભાવ તો દેહની શુધ્ધિ,થઈ જાય ત્યાં પવિત્ર કર્મ
.                             …………..પાવન કર્મની કેડી જોવા.
પ્રભાત ઉજળી પામી લેવા,શુધ્ધ ભાવનાએ પુંજન થાય
ભક્તિકેરી દોર પકડીને ભજતાં,પ્રભુકૃપા પણ મળી જાય
સંતનીસેવા મનથી કરતાં,પાવન રાહ જીવથી મેળવાય
મળી જતી હોય જલાસાંઇની કૃપા,તો શા માટે ના પુંજાય
.                           ……………..પાવન કર્મની કેડી જોવા.
માયા મોહના  બંધનને છોડી,જીવને મળે ભક્તિનો સંગાથ
અન્નદાનની પ્રીત પકડતાં,ભગાવી દીધા જલાએ જગદીશ
શ્રધ્ધા,સબુરી એક છે બતાવી,બાબાએ કરી માનવતાપ્રીત
મળેજો જીવને પ્રીતપ્રભુની,તો શામાટે ના ભક્તિએ જોડાય
.                                 ………….પાવન કર્મની કેડી જોવા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@