January 7th 2018
. .માનવદેહ
તાઃ૭/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણનો સંબંધ દેહને,અવનીપર આવનજાવનથી અનુભવાય
કર્મની કેડી સ્પર્શે છે જીવને,જે મળતા દેહથી બંધન આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહનો સંબંધ છે કર્મનો,જે જન્મ મળતા દેહથી સમજાઇ જાય
પવિત્રરાહે જીવન જીવતા જીવનમાં,સરળતાનો સહવાસ મળી જાય
માગણી મોહ કે માયા સ્પર્શેછે દેહને,જે સમય સમયથી સ્પર્શી જાય
જન્મમરણ એજ કુદરતની કૃપા,જે મળેલ દેહને સમજણ આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહ પ્રાણીપશુનો જીવને,અવનીપર એ નિરાધાર જીવન કહેવાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સમજણ આપી જાય
સવારસાંજ સમજીને જીવતા દેહને,મળતી ઉંમરનો અનુભવ થઈ જાય
શ્રધ્ધાવિશ્વાસથી કરેલ નિર્મળભક્તિ,પ્રભુકૃપાએ જીવને મુક્તિઆપીજાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
========================================================
November 13th 2017
. .પકડ એજ જકડ
તાઃ૧૩/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન એ દેહનોસંબંધ અવનીએ,જીવને જન્મ મળતા અનુભવ થાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવ પર,જે આગમન થતા સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
મળેલ દેહ એજ સંબંધ છે જીવનો,જે અવની પર દેહ આપી જાય
પકડેલ રાહ દેહની જગતપર,જન્મ મરણથી જીવને એ સ્પર્શી જાય
અપેક્ષાના વાદળ વર્ષે દેહપર,એ કર્મનીપકડ જે જીવને જકડી જાય
મળેલ દેહને પકડે છે વર્તન,જે જીવનમાં અનેક તકલીફોથી સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
થાય કૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ પુંજન થાય
જીવનો સંબંધ એજ છે કર્મના બંધન,ધરતી પરના આગમનથી દેખાય
દેહને જકડે માયા અને મોહ અવની પર,નાકોઇ માનવદેહથી છટકાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,દેહને પાવન કર્મ પરમાત્મા આપી જાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
=====================================================
November 5th 2017
. .સરળ સમય
તાઃ૫/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનો પ્રેમ મળે અવનીએ,જ્યાં જીવથી સત્કર્મ સચવાય
મળેલ માનવદેહને સરળજીવન મળે,જે પાવનકર્મ કરાવી જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
કુદરતની કૃપાએ ધર્મભક્તિની નિર્મળકેડીએ,પવિત્રકર્મ થઈ જાય
ના મોહ કે માયા સ્પર્શે જીવને,ત્યાંજ સત્કર્મની રાહ મળી જાય
અંતરથી કરેલ વંદન અવિનાશીને,ઉજવળ જીવનએ આપી જાય
પવિત્રકર્મ એ સત્કર્મની કેડીએ મળે,જે જીવના કર્મબંધન કહેવાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
આજકાલએ સંબંધ સમયનો અવનીએ,ના કોઇ જ દેહથી છટકાય
જીવને જકડે અવનીપર આવનજાવનથી,જે સમયની કેડી કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે અવનીએ,જ્યાં સત્કર્મથી જીવન જીવાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે દેહને સ્પર્શથી સમજાઈ જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
===================================================
October 24th 2017
. ……………….મુકેલ મોહ
તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એજ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
======================================================
October 24th 2017
……………….જાગૃત જીવન
તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,કરેલ કર્મના બંધનથી જ મળી જાય
સમય એ કુદરતની કેડી,જે અવનીપર મળેલ દેહથી સમજાઈ જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
અપેક્ષાના વાદળ તો અવનીપર,સદાય મળે દેહના સંગે ચાલી જાય
વર્તનવાણી ને વિચારી જીવતા,મળેલ જીવનને એ જાગૃત કરી જાય
પળેપળને નાપકડાય કોઇથી જગતમાં,પણ કુદરતની કૃપાએ બચાય
કરેલકર્મ એ જીવનાછે બંધન,જે જગતપર દેહનાસંબંધને સ્પર્શી જાય
……….પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પવિત્ર ભક્તિ થાય
કુદરતનીકૃપાએ પકડેલ કેડીએ,સંસારમાં દેહને સુખશાંન્તિ મળીજાય
મળેલ માનવદેહને સદમાર્ગે લઈજાય,જ્યાં જલાસાંઇને શ્રધ્ધાએ વંદાય
દીધેલ માર્ગ જલાસાંઇનો અવનીએ,માનવ જીવનને સાર્થક કરી જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
=================================================
October 24th 2017
. ………………..લીલા કુદરતની
તાઃ૨૪/૧૦/૨૦૧૭ ………. …….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબશક્તિ શાળી પરમાત્મા જગતપર,જે અદભુતલીલાથી દેખાય
ક્યારે ક્યાં ને કેવી રીતે આવે અવનીએ,ના કોઇ જીવને સમજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
પવનદેવની અજબતાકાત છે,જે તેમના આગમનથી સમજાઈ જાય
આવે અચાનક એ અવનીપર,ના કોઇ જીવથી છટકીને દુર જવાય
ઝાડ પાનને તોડી નાખતા,નાકોઇ દેહથી કદીય આઘુપાછુ રહેવાય
અવનીપર તેમની તાકાત છે,જે તેમના પુત્ર હનુમાનજીથીજ દેખાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
કુદરતી તાકાતથી બચવા,શક્તિશાળી મેઘરાજાના આગમને સમજાય
આવે અચાનક ધરતી પર,જે જીવોને પાણીદેતા દરીયાપર લઈ જાય
ના કોઇ દેહથી છટકાય જગતપર,પ્રાણી પશુ કે માનવીનો દેહ હોય
છત્રી પકડી ચાલતો માનવદેહ,ભીની ચાદરથી અવનીપર પલળીજાય
…..એજ લીલા અવિનાશીની ધરતીપર છે,જે સમયથીજ સ્પર્શી જાય.
======================================================
October 16th 2017
. કુદરતી સ્પર્શ
તાઃ૧૬/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાયાને સ્પર્શે જ્યાં કુદરતી માયા,ના કોઇ જીવથી કદીય દુર રહેવાય
અલખ નિરંજન અવીનાશીની લીલા,એજ અદભુત કૃપા આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
મળેલ માનવજીવન એ કર્મનનાબંધન,જગતપર આવનજાવન દઈ જાય
પરમાત્માની પાવનરાહે જીવતા,જીવને ભક્તિનો માર્ગ પણ મળી જાય
અવનીપરનુ આગમન એ બંધનછે જીવના,જન્મમરણના સંબંધે દેખાય
ભુતકાળને સમજીને ચાલતા જીવનમાં,આવતી કાલને સરળ કરી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
કુદરતની આઅદભુતલીલા જગતપર,મળેલદેહના સંબંધને સાચવી જાય
નાલાગણી મોહનો સ્પર્શ રહે દેહને,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવન રાહની કેડી મળી જાય
કળીયુગ એજ છે કુદરતનીલીલા,જે હેરીકેન સહિત આફત આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
=======================================================
September 19th 2017
. .સમયની સમજ
તાઃ૧૯/૯/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની કૃપાનોસાથ પણ મળી જાય
જીવનમાં મળતી અનેક તકલીફોને,મળેલ દેહથી ના કદીય કોઈથીય છટકાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
કરેલ કર્મ જીવનમાં દેહ મળતા જીવને,થઈ રહેલ કર્મથી અનુભવ થઈ જાય
સવાર સાંજ એ કૃપા સુર્ય દેવની જગતપર,ના કોઇજ દેહથી કદીય છટકાય
પ્રભાતે આગમન થાય સુર્યદેવનુ,દુનીયાપર સૌ જીવોને પાવનરાહ મળી જાય
સંધ્યાની જ્યોત પગટે જગતપર કૃપાએ,જે માનવદેહને અંધકાર આપી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
મળેલદેહને સુર્યદેવના આગમને,કર્મની કેડી દીવસમાં થયેલ વર્તન થી દેખાય
સમય એ છે કુદરતની લીલા અવનીપર,નાકદી કોઇ જીવથી ક્યારેય છટકાય
આગમન વિદાય એ અદભુત લીલા,જગતપરના આવન જાવનથી મળી જાય
સમયની સંગે ચાલતો માનવી જીવનમાં,જલાસાંઇની પાવનરાહને મેળવી જાય
.......અદભુતલીલા જગતપિતાની અવનીપર,જીવને મળેલ કર્મના બંધનથી મેળવાય.
=================================================================
September 12th 2017
. .સરળ કેડી
તાઃ૧૨/૯/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સત્કર્મના સંગાથથી સરળ કેડી આપી જાય
પાવનકર્મ એ કુદરતની કૃપાછે જીવ પર,કર્મના બંધન જન્મમરણને સ્પર્શી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
અનેક દેહોના સંબંધ છે જીવને અવનીપર,કરેલ કર્મથી આવનજાવનથી દેખાય
કુદરતની કૃપા એ સરળ જીવનની રાહ આપે,જે થકી મળેલ દેહથી કર્મો થાય
શ્રધ્ધા સંગે પવિત્ર ભાવથી ભક્તિ કરતા,પરમાત્માના નિર્મળ પ્રેમની વર્ષા થાય
ના કળીયુગ કે ના મોહમાયા અડે જીવને,જે જીવનમાં સરળ કેડી આપી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
કુદરતની આફતને ના આંબે કોઇ જીવનમાં,કે ના કોઇનાથીય કદીય છટકાય
મળેલદેહને પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,મળેલદેહની જ્યોત પ્રગટી જાય
સંત જલાસાંઇની પાવનરાહ સમજતા,અનેક જીવોનો પાવનપ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનમાં સ્પર્શે દેહને,કે ના કોઇનીય ખોટી દ્રષ્ટિય પડી જાય
.....અદભુતલીલા અવિનાશીની જગતપર,જે જીવને મળતા દેહ થકી સમજાઈ જાય.
================================================================
September 8th 2017
. .ચમત્કાર
તાઃ૮/૯/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ છે નિર્મળરાહ અવનીએ,જીવને મળેલ દેહને સમયે સ્પર્શી જાય
માનવ જીવનમાં મળે ચમત્કાર યોગ્ય સમયે,જે ના અપેક્ષા કે આફત આપી જાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
સરળ જીવનને ના સ્પર્શે કોઇ તકલીફ,જે શ્રધ્ધાએ ભક્તિ કરતાજ અનુભવ થાય
અવનીપરનુ આગમન એછે કર્મના બંધન,પરમાત્માની કૃપાએ માનવ દેહ મેળવાય
મળેલ દેહને સ્પર્શે સમય જે ક્ળીયુગની કેડી,ના સાધુબાવાથીય કદી દુર રહેવાય
સંત જલાસાંઇએ દીધેલ પવિત્રરાહે જીવતા,જીવનમાં સુખશાંંન્તિની પાવનવર્ષાથાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
જીવનમાં મળે અચાનક શાંન્તિ દેહને,જે નિર્મળ જીવનમાં મળેલ ચમત્કાર કહેવાય
સમયને સમજી ચાલતા મળેલ સન્માનને,આદરણીય પાવનરાહે પ્રભુ કૃપા મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલ દેહને સ્પર્શે ના કદીય કોઈથી છ્ટકાય
એજ ચમત્કાર છે અવનીપર પરમાત્માનો,જે જીવન સુખશાંન્તિથી સાર્થક કરી જાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
=====================================================================