January 7th 2018

માનવદેહ

.          .માનવદેહ     
 
તાઃ૭/૧/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મમરણનો સંબંધ દેહને,અવનીપર આવનજાવનથી અનુભવાય
કર્મની કેડી સ્પર્શે છે જીવને,જે મળતા દેહથી બંધન આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહનો સંબંધ છે કર્મનો,જે જન્મ મળતા દેહથી સમજાઇ જાય
પવિત્રરાહે જીવન જીવતા જીવનમાં,સરળતાનો સહવાસ મળી જાય
માગણી મોહ કે માયા સ્પર્શેછે દેહને,જે સમય સમયથી સ્પર્શી જાય 
જન્મમરણ એજ કુદરતની કૃપા,જે મળેલ દેહને સમજણ આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહ પ્રાણીપશુનો જીવને,અવનીપર એ નિરાધાર જીવન કહેવાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સમજણ આપી જાય
સવારસાંજ સમજીને જીવતા દેહને,મળતી ઉંમરનો અનુભવ થઈ જાય
શ્રધ્ધાવિશ્વાસથી કરેલ નિર્મળભક્તિ,પ્રભુકૃપાએ જીવને મુક્તિઆપીજાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
========================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment