September 16th 2020

ભક્તિનો સાગર

+નવરાત્રી રે આવી | ચંદ્ર પુકાર+જય ભોલેનાથ - શ્રી નિલકંઠ મહાદેવ મંદિર-કેશોદ | Facebook
.              .ભક્તિનો સાગર      

તાઃ૧૬/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે દેહ મળે જીવને અવનીપર,જે થયેલકર્મના બંધનથી લાવી જાય 
ગતજન્મે મળેલ માનવદેહને સંબંધસ્પર્શે,જે અવનીપરના આગમનથી દેખાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,સમયે જીવનમાં સમજણ આપી જાય
અપેક્ષામોહને દુર રાખીને જીવવા,પ્રભુના અનેકદેહ ભારતમાંજ પ્રગટી જાય
જીવને મળેલદેહને સુખ માટે પુંજનકરવા,ભક્તિના સાગરને વહેવડાવી જાય
ભક્તિનો સાગર એપવિત્રનદીનીકૃપા,વંદનકરી અર્ચનાકરતા મુક્તિમળી જાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
પરમાત્મા એ લીધેલદેહ,જે શંકરભગવાનથી ઓળખાય એ ગંગાવહાવી જાય
પવિત્રગંગા જળથી અર્ચના કરતા જીવનમાં,પવિત્ર જીવનની રાહ મળી જાય
અનેક માતાનાદેહ લીધા ભારતમાં,આરાશુરમાં અંબામાતાથીય એ ઓળખાય
વ્હાલા અંબામાતાના આશિર્વાદ મળ્યા,જે મને ભક્તિસાગરનીરાહ આપીજાય  
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
****************************************************************
September 15th 2020

પ્રેમથી પધાર્યા

જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar

                    પ્રેમથી પધાર્યા 
  તાઃ૧૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા હ્યુસ્ટનમાં,વ્હાલા સાંઇબાબા પધાર્યા અમારે ઘેર
આવી આંગણે પ્રેમથી આશિર્વાદ આપ્યા,મનને તરત શાંંતિ પણ મળી ગઈ
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ભોલેનાથની પાવનકૃપાથી શેરડીમાં આવી,માનવતાને મહેકાવવા રાહ દીધી
કુદરતની પવિત્ર કેડી મળે જીવને,જે જીવને મળેલદેહથી અવનીપર સમજાય
કર્મનોસંબંધ એદેહના વર્તનથી મેળવાય,જે જીવને આવનજાવન આપી જાય
મળે કૃપા પરમાત્માએ લીધેલ પાવનદેહથી,જે પવિત્રધરતી ભારતની કહેવાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ઓમ શ્રી સાંઇનાથાય નમઃનુ સ્મરણ કરી,વંદનકરતા બાબાનીકૃપા અનુભવાય
કૃપા વ્હાલા શંકર ભગવાનની ભારતમાં,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
અદભુત પ્રેરણા સાંઇબાબાએ કરી,એ મળેલ માનવદેહને નાધર્મકર્મ અડી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,એ મળેલદેહને શ્રધ્ધાસબુરીથી શાંંતિ આપીજાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
##################################################################

 

September 14th 2020

ભોલેનાથની કૃપા

શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..

.              . ભોલેનાથની કૃપા

  તાઃ૧૪/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમથી પાવનરાહ મળે ભક્તોને,એજ શ્રી ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીના વ્હાલા ભરથાર,સંગે ગણપતિકાર્તિકના પિતા પણ થાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
પવિત્ર ભુમી ભારતની કરવા દેહ લીધો,એજ ભોલેનાથથી પણ ઓળખાય
પાર્વતીમાતાના પતિ એ કહેવાય,જે પવિત્રગંગાને પાવનરાહે વહાવી જાય
પવિત્રગંગા જળ લઈ અર્ચના કરતા,શ્રીભોલેનાથની પાવનકૃપા પણ થાય
જીવને મળેલદેહથી નિર્મળભાવે ભક્તિકરતા,અંતે જીવને મુક્તિમળી જાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
ભાગ્યવિધાતા શ્રીગણપતિ જગતપર,જેમને ગજાનંદ ગણપતિ પણ કહેવાય
અજબશક્તિશાળી એ ભાગ્ય વિધાતા,માતાપિતાના અનંતપ્રેમથી થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશની ભુમીને પાવન કરવા,પરમાત્મા અનેકદેહ લઈ પવિત્ર કરીજાય
.....પરમકૃપાળુ શંકર ભગવાન જગતપર,સાથે પાર્વતીમાતાની પણ પુંજા થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 12th 2020

પવનપુત્ર હનુમાન

  *****Hanuman Shubh Savar (શુભ સવાર હનુમાન નાં ફોટા) Pictures and Graphics - SmitCreation.com*****
.                .પવનપુત્ર હનુમાન 

તાઃ૧૨/૯/૨૦૨૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બાહુબલીબળવાન જગતમાં અજબશક્તિશાળી,એજ પવનપુત્ર પણ કહેવાય
શ્રી રામસીતાના વ્હાલાભક્ત હતા,શક્તિશાળી રાજારાવણનુ એદહન કરીજાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
મળેલદેહને પરમાત્માની ક્રુપાએ શક્તિમળી,જીવનમાં પાવનકર્મ એ કરી જાય
માતા અંજનીના એ લાડલા દીકરા,જે મળેલદેહથી માતાનો પ્રેમ મેળવી જાય
સુર્યદેવના વ્હાલા પુત્ર પવનદેવના પ્રેમથી,પત્ની અંજનીને સંતાન આપી જાય
માતાપિતાના પ્રેમ સંગે આશિર્વાદથી,હનુમાનજી અજબશક્તિશાળી થઈ જાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
કૃપામળી પવનપુત્ર હનુમાનની,જયાં પરમાત્મા શ્રીરામ સંગે સીતાજીને વંદનથાય
શ્રધ્ધાભાવથી ભક્ત્રિ કરતા જીવનમાં,પવિત્રશક્તિશાળી કૃપા પ્રદીપને મળી જાય
રામનામની માળા જપતા ભક્તને,જીવનમાં પાવનકર્મનો સંગાથપણ મળતો જાય
મારા વ્હાલા હનુમાનજીને,શનિવારે જય હનુમાન સંગે હનુમાન ચાલીસાય વંચાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 10th 2020

શેરડીથી પધારો

    profile sai baba - story of shirdi ke sai baba
.            શેરડીથી પધારો   

તાઃ૧૦/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની રાહ મળી દેહને,વ્હાલા સંત સાંઈબાબાની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,મળેલદેહને અનંતશાંંતિ મળીજાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેક દેહ લઈ જાય
નિર્મળભાવથી પુંજન કરતા દેહને,મળેલ દેહની માનવતા પ્રસરી જાય
શેરડીમાં પધાર્યા સાંઈબાબા,જેમને દ્વારકામાઈનીજ પ્રેરણા મળી જાય
મળેલ માનવદેહથી પ્રેરણા કરી મનુષ્યને,જે શ્રધ્ધાસબુરીને સમજાવાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
વ્હાલા સાંઇબાબાનુ સ્મરણ કરવા,ઑમ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરાય
પાવનકૃપા દેહને મળતા ભક્તોને,જીવનમાં સત્માર્ગની પ્રેરણા મળીજાય 
મારા વ્હાલા શ્રીસાંઇબાબા,અમારી શ્રધ્ધાપારખી શેરડીથી આવી જાવ
પુંજન કરી ઘરમાં બાબાના નામથી દીવો પ્રગટાવી વંદન કરુ હું રોજ 
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
***************************************************************
September 7th 2020

વિરપુરના વૈરાગી

             .વિરપુરના વૈરાગી

તાઃ૭/૯/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત જીવનમાં પાવનરાહ,સંગે નિર્મળપ્રેમ પણ આપી જાય
અદભુત કૃપા પરમાત્માની વિરપુરમાં,જે પવિત્રજીવને પાવનદેહ દઈ જાય
…..એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
રાજબાઈના એ વ્હાલા સંતાન,ને પ્રધાન ઠક્કરના વ્હાલા દીકરા એ કહેવાય
જીવનસંગીની મળ્યા વિરબાઈ,જે પવિત્રરાહે પરમાત્માની પરીક્ષા કરીજાય
પવિત્રરાહે ભક્તિ કરવા જીવનમાં,સંત ભોજલરામથી આંગળી ચીંધાઈ ગઈ
રામનામની માળા કરતા સંસારમાં,પરમાત્માથી પાવનરાહ જીવને મળીગઈ
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે પાવનકર્મની આંગળીએ ચીંધી જાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા થઈ જાય
સરળ જીવનમાં પ્રેમ મળે માનવીઓનો,જે જીવનમાં સંસ્કારને સાચવીજાય
સંત જલારામની જ્યોત જીવનમાં ન્યારી,જે નિરાધારને આધાર આપી જાય
……એવા વિરપુરના વ્હાલા જલારામબાપા,અન્નદાનની પાવનરાહ પણ બતાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.

September 5th 2020

કર્મની જ્યોત

##Sandipani took the sage's son to Shankhasur, Sandipani told Lord Krishna to bring his son to Guru Dakshina | સાંદીપનિ ઋષિના પુત્રને શંખાસુર ઉપાડીને લઇ ગયો હતો, સાંદીપનિએ શ્રીકૃષ્ણને ગુરુ ...##

.              .કર્મની જ્યોત 
તાઃ૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,જે થયેલ કર્મની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધા ભાવથી થયેલ પવિત્રકર્મ દેહના,જીવને જન્મમરણથી સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
માનવદેહ એ કૃપાપ્રભુની જીવ પર,જે મળેલદેહને પ્રેરણા આપી જાય
નિર્મળ નિખાલસ ભાવથી જીવન જીવતા,ના કોઇ માગણી પણ હોય
પાવનરાહે કર્મકરતા જીવને મળેલ દેહને,પરમાત્મા સદમાર્ગે પ્રેરી જાય
જન્મમરણનો સંબંધ છુટે જીવનો,એજ જીવને પવિત્ર મુક્તિ મળી જાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રદેહોથી દેહને આંગળી ચીંધાય
મળેલ માનવદેહ એજ સમજણના સંગાથે,પવિત્ર જીવન પણ જીવી જાય
ગતજન્મે થયેલકર્મ જીવને આગમનથી દેખાય,જગતમાં નાકોઇથી છુટાય
આગમનવિદાય એ કુદરતની પ્રેરણા,જે મળેલજીવને સમયસમયે સમજાય
.....મળેલદેહની નાકોઇ અપેક્ષા જીવનમાં,એ પરમાત્માની પાવનજ્યોત કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
September 2nd 2020

શ્રી અંબામાતા

 .           .શ્રી અંબામાતા 
તાઃ૨/૯/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરથી માતા અંબાજી આવ્યા,અમારી શ્રધ્ધા ભક્તિ પારખી અહીં
મળ્યા આશિર્વાદ સંગે પ્રેમ માતાનો,જે તેમના આગમનથીજ મળી જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
અનંતપ્રેમની ગંગા માતાજી સંગે,પાવનરાહથી જીવને સુખશાંંતિ મેળવાય
મળેલ જન્મને સદમાર્ગેજ લઈ જવાય,જે દેહને અંતે મુક્તિજ આપી જાય
એવી પવિત્રકૃપા માતાની ભક્તો પર,એ મળેલદેહને સદમાર્ગેજ લઈ જાય
અમારા વ્હાલા અંબામાતાની પુંજા કરતાજ,શ્રી અંબે શરણં મમઃ બોલાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
પરમકૃપાળુ અંબામાતા અવનીપર,જે માતાનુ આરાશુરથી આગમનકહેવાય
સંતાનને વ્હાલા માતાનો પ્રેમ મળે,જે જીવને મળતી પાવનરાહથી દેખાય
શ્રધ્ધાભાવથી બારણુ ખોલતાજ,માતાજીનુ પ્રેમથી આગમન મેળવાઇ જાય
સુખ સાગરનુ આગમન જીવનમાં,જે પવિત્રજીવનસંગે મુક્તિમાર્ગે લઈ જાય
......એવા અજબકૃપાળુ અમારા વ્હાલા માતાજી,કુટુંબને પાવનરાહ આપી જાય.
**************************************************************૮
 
August 31st 2020

ભોલેભંડારી

.                   ભોલેભંડારી  

તાઃ૩૧/૮/૨૦૨૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા મળે ભોલેનાથની ભક્તોને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજનઅર્ચન થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
પવિત્રગંગાને વહેવડાવી અવનીપર,જે મળેલ દેહને સ્પર્શે સુખ આપી જાય
અજબ પવિત્ર શક્તિશાળી સંસાર છે,માતાપાર્વતીની પાવનરાહે ઓળખાય
વ્હાલા સંતાન શ્રી ગણેશજી છે,જે સિધ્ધીવિનાયક સંગે વિધ્નહર્તા કહેવાય
માનવ જીવનમાં તેમનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાભાવથી શ્રી ગણેશાય કહેવાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય.
શીવલીગ પર પ્રભાતે દુધઅર્ચના થાય,ત્યાં ઑમ નમઃથી સ્મરણ પણ કરાય
મળેલ માનવદેહને તો સંબંધછે થયેલ કર્મનો,જે દેહમળતા અવનીએ દેખાય
અજબ શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભક્તોથી  ભોલેનાથ કહેવાય
આંગળી ચીંધે એ માનવદેહને,જ્યાં શ્રધ્ધાભાવથી શંકરભગવાનને વંદન થાય
.....એવા વ્હાલા પ્રેમાળ શંકર ભગવાન છે ભારતમાં,જે ભોલેભંડારી પણ કહેવાય
***************************************************************
August 30th 2020

મહાવીર હનુમાન

++મહાબલી બજરંગબલીજીએ પોતે લખ્યું છે આ રાશિનું નસીબ, ભૂલથી પણ ના લેતા પંગો | vanchvajevu++
.           .મહાવીર હનુમાન             

તાઃ૩૦/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,એ મહાશક્તિશાળી થઈજાય
પાવનરાહે જીવન જીવવા અવનીપર,પિતા પવનદેવની કૃપા થાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
સંતાનને આશિર્વાદ મળે માબાપના,જે પવિત્રશક્તિ પામી જાય
અજબ શક્તિશાળી એ હતા,જે પવિત્ર દેહને સાથ આપી જાય
હનુમાજીના નામને પાવન કરે,જ્યાં શ્રી રામસીતાની સેવા થાય
લક્ષ્મણના દેહને જાગૃતકરવા,શક્તિથી મહાનપર્વતને લાવી જાય 
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
પરમશક્તિની કેડીમળી વ્હાલા હનુમાનને,જ્યાં માતાનીકૃપાથાય
ભક્તિના સાગરને વહેડાવતા રહ્યા,જયાં શ્રી રામને લંકા લવાય
સીતાજીને પતિ શ્રીરામથી જ,રાજા રાવણથી દુર ભગાડી જવાય
મહાવીર હનુમાનજી રામને મદદ કરતા,લંકાનુ એ દહન કરીજાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
========================================================

 

« Previous PageNext Page »