May 23rd 2017

ગણપતિ બાપા

   Image result for ganeshji
.         .ગણપતિ બાપા

તાઃ૨૩/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા પાર્વતીના પવિત્ર એ સંતાન,જેને ગજાનંદ પણ કહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,જેને ભાગ્યવિધાતાય કહેવાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
એવા ગણપતિ બાપા મોરીયા,સિધ્ધી વિનાયકથીય ઓળખાય
અનેક પવિત્રનામ મળેલછે,જે પિતા ભોલેનાથની કૃપા કહેવાય
માતા પાર્વતીનો અનંત પ્રેમ મળ્યો,ત્યાંજ જગતમાં પુંજન થાય
રીધ્ધી સીધ્ધીનાએ તારણહાર છે,અનંત શક્તિધારી થઈ જાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
પરમકૃપા મેળવવા પરમાત્માની,શ્રી ગણેશજીને શ્રધ્ધાએ પુંજાય
દુધઅર્ચના એ શ્રધ્ધાએ કરતાજ,ગજાનંદનુ આગમન થઈ જાય
મળે આશીર્વાદ ભોલેનાથના જીવને,જ્યાં ગણપતિજી હરખાય
સુખના સાગરનીલહેર મળતા,મળેલ જન્મ જીવનો સાર્થક થાય
.....એક જ કૃપા મળે જીવને,ત્યાં મળેલ જન્મને પાવનએ કરી જાય.
=======================================================
May 22nd 2017

કરૂણા સાગર

.          .કરૂણા સાગર

તાઃ૨૨/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરૂણાનો સાગર છે અવિનાશી,અવનીએ પરમાત્માજ કહેવાય
જીવને સંબંધછે જન્મમરણના,જે દેહથી થયેલ કર્મથી મેળવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
પકડેલરાહ જીવને સ્પર્શે અવનીએ,જયાં કૃપા પરમાત્માની થાય
પ્રેમ ભાવના નિખાલસ રાખી જીવતા,નિર્મળ જીવન મળી જાય
અજબ કૃપાળુ પરમાત્મા જગતમાં,જે પ્રેમાળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનથી મળે શાંંન્તિ,જ્યાં સંત જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
જગતમાં દેહનેસ્પર્શે કરેલકર્મ,જે થકી આવન જાવન મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,શ્રધ્ધા ભક્તિએ કૃપા મેળવાય
મળેલ જન્મ સાર્થક કરવા,દેહને પરમાત્મા આંગળી ચીંધી જાય
એજ કરૂણાનો સાગર કહેવાય,જે જીવને પાવનરાહે અનુભવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
====================================================

	
May 18th 2017

કૃપાનો સંગ

.            .કૃપાનો સંગ 

તાઃ૧૮/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પરમાત્માની કૃપા છે પાવન,જીવનમાં નિર્મળતાનો સંગાથ મળી જાય
સમયને પકડતા પાવનરાહ મળે જીવને,જીવને અનંત શાંંતિ દઈ જાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
મોહને મનથી દુર રાખીને જીવતા,ના અપેક્ષા કોઇ જીવનમાં અથડાય
નિર્મળ જીવનનીરાહ મળતા દેહને,પરમ કર્મનાબંધનનો સાથ મળીજાય
માનવજીવન એજ છે જીવનીકેડી,જે થકી જન્મમરણના બંધન છોડાય
ભક્તિમાર્ગ એ પવિત્રરાહ છે,જે પરમાત્માની કૃપાએ જીવનમાં મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
અનેક દેહનાબંધન છે જીવને,જે અવનીએ આગમન થતાજ અનુભવાય
કુદરતની આ અસીમ લીલા છે જગત પર,જે જીવને અનેક રૂપે દેખાય
શ્રધ્ધા રાખીને જલાસાંઇની પુંજા કરતા,જીવનમાં સુખ શાંંન્તિ મળી જાય
ના માગણી કોઇ પરમાત્માથી રહે,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....અવનીપરનુ આગમનએ બંધન છે જીવના,સરળ જીવન જીવતા સમજાય.
==========================================================

	
May 17th 2017

મા જાનબાઈ

Image result for ખોડિયાર માતા
.             .મા જાનબાઈ      

તાઃ૧૭/૫/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એ જન્મ જીવનો,જે દેહ થકીજ ઓળખાઇ જાય
કૃપા શ્રી ભોલેનાથની થતા,જાનબાઈને પવિત્રનામ ખોડિયાર મળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
માડી તમારા દર્શન કરતા જ,કૃપાએ જીવપર આનંદની વર્ષા થઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,જ્યાં મા ખોડિયારની પુંજા પ્રેમથી થાય
અનંત પ્રેમ મળતા માનવદેહને,મળેલદેહ જીવનો જન્મ સફળ કરી જાય
કૃપાની પવિત્રકેડી મળતા જીવને,ભક્તિપ્રેમની પવિત્રરાહ પણમળી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ પકડી મા જાનબાઇએ,જે કુટુંબ પાવન કરી જાય
અસીમકૃપા મળે પરમાત્માની દેહને,ત્યાં પવિત્ર નામ અવનીએ મેળવાય
ૐ ખં ખોડિયારાય નમઃ નુ સ્મરણ કરતાં,માડી તારી કૃપાની વર્ષા થાય
પ્રદીપ પર માખોડિયારની કૃપા થતાં,ઉજ્વળ જીવનનીજ્યોત પ્રગટી જાય
.....મા ખોડિયારને વંદન કરતા જીવને,ભક્તિથી માતાની કૃપા મળી જાય.
========================================================
May 16th 2017

ગૌરીનંદન

Image result for ગૌરીનંદન
.             .ગૌરીનંદન   

તાઃ૧૬/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદનની અજબ છે શક્તિ,પિતા ભોલેનાથથી મેળવાય
માતા પાર્વતીની અસીમકૃપાએ,જગતમાં ગણપતિય કહેવાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
અવનીપર નો આધાર છે કેટલો,એ ગૌરીનંદન જ કહી જાય
પવિત્રરાહની આંગળી ચીંધે,જે પરમાત્માને વંદન કરાવી જાય
ના આગમનકે વિદાયનો સંબંધસ્પર્શે,જ્યાં દંતેશ્વરની કૃપાથાય
જીવના બંધન અવનીએ જકડાય,જ્યાં મોહમાયા સ્પર્શી જાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,પિતાનો અમૃત પ્રેમ પણ મેળવાય
રિધ્ધી સીધ્ધીનાએ જીવનસંગી,ભક્તિએ પાવનપ્રેમ આપી જાય
પુંજન વંદન પ્રેમથી કરતા,સિધ્ધી વિનાયકની કૃપા વર્ષી જાય
જીવને મળેલ અનંત શાંંન્તિ અવનીએ,જ્યાં દેહથી વંદન થાય
......કલમની પવિત્ર કેડી સંગે,જીવને મળેલ દેહનુ ભાગ્ય લખી જાય.
=====================================================
May 15th 2017

જીવની અભિલાષા

.         .જીવની અભિલાષા
તાઃ૧૫/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી પ્રેમની પાવન કેડી,જીવનની જ્યોત પ્રગટાવી જાય
અંતરમાં આનંદની વર્ષા થતા,મળેલ જન્મસાર્થક થઈ જાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
જીવને પકડેછે કરેલ કર્મ,જે મળેલ દેહથી અનુભવ થાય
અવની પરનુ આગમન એ બંધન,જે જન્મ મળતા દેખાય
પરમકૃપાળુ પરમાત્માછે,જીવને નિર્મળ ભક્તિ આપી જાય
મળે કૃપા ભગવાનની જીવને,જે દેહના વર્તનથી સમજાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
ઉજ્વળ જીવનની રાહ પકડે,મળેલજન્મ સાર્થક કરી જાય
પાવન કર્મ સ્પર્શે દેહને,જે સંત જલાસાંઈની કૃપાએ થાય
ના અપેક્ષાના કોઇ વાદળ વર્ષે,કે ના કોઇ મોહ મેળવાય
એજ જીવનની જ્યોત પ્રગટાવે,જે દેહના વર્તનથી દેખાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
================================================
May 12th 2017

પ્રભુ સ્વરૂપ

..Image result for પરમાત્માના સ્વરૂપ..
.           .પ્રભુ સ્વરૂપ
 
તાઃ૧૨/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા અવનીપર,અનેક સ્વરૂપે દર્શન દઇ જાય
મળે જીવને શાંન્તિ જીવનમાં,જે સાચી શ્રધ્ધાભક્તિથી મળી જાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
કર્મના બંધન જકડે જીવને,જે આવન જાવનથી જ દેખાઈ જાય
મળે દેહને સંબંધ અવનીએ,જન્મમરણના બંધનથી જીવ જકડાય
પ્રભુ સ્વરૂપ એ કૃપા પરમાત્માની,જે જીવને સદમાર્ગે દોરી જાય
મળે જીવને માયાનાબંધન દેહ લેતા,નાકોઇથીય દુર પણ રહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
અંતરમાં આનંદમળે કૃપાએ,નામાગણી કે કોઇઅપેક્ષા અડી જાય
સરળતાનો સંગાથ પ્રભુના સ્વરૂપે,શ્રધ્ધાભક્તિ પુંજનથી મળીજાય
અનેક સ્વરૂપે અવનીપર આવી,દર્શને પવિત્ર જીવન આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે જીવનમાં,એ જ પરમકૃપા જ કહેવાય
.....દેહ લીધો અવનીપર,જે શ્રીરામ,શ્રીકૃષ્ણ,શ્રીહનુમાનથી ઓળખાય.
======================================================
May 12th 2017

શ્રી રામનામ

Image result for શ્રી સીતારામ
.            .શ્રી રામનામ
તાઃ૧૨/૫/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં શ્રી રામનામનુ સ્મરણ થાય
પાવનકૃપા મળે સંગે સીતાજીની,ત્યાં શ્રી હનુમાનજીનો પ્રેમ લેવાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
અવનીપર એ પવિત્ર દેહ પરમાત્માનો,જે રાવણનુ દહન કરી જાય
સીતામાતા નિમિત બન્યા અવનીએ,જ્યાં બજરંગબલી આવી જાય
અજબશક્તિ રાવણની ભોલેનાથકૃપાએ,દેહને અભિમાન મળી જાય
દેહ લીધો પરમાત્માએ અવનીએ,જે શ્રી રામના નામથી યાદ કરાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
ભક્તિમાર્ગની રાહ લેવા જીવનમાં,હિંદું ધર્મમાં શ્રીરામની માળા થાય
અંતરથી કરેલ માળા મળેલ જીવન ઉજ્વળ કરે નાઅપેક્ષા અથડાય
તનમનથી શાંંન્તિ મળે દેહને,જે મળેલ જન્મ સાર્થક પણ કરી જાય
ઉજ્વળ જીવન નિમિત બને,જે અનેક જીવોને સદમાર્ગે દોરી જાય
....ત્યાંજ પવિત્ર જીવન બને અવનીએ,જ્યાં પરમકૃપાળુ શ્રીરામને વંદન થાય.
=========================================================


May 7th 2017

મા કૃપા

.          .મા કૃપા
તાઃ૭/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારી પરમકૃપા થઈ,ત્યાં જીવને અનંત શાંંન્તિ મળી ગઈ
પાવનરાહની કેડી મળતા,મળેલ દેહ પર પવિત્રપ્રેમની વર્ષા થઈ
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
અજબશક્તિ શાળી માતા છે,જેને મારી કુળદેવી પણ કહેવાય
સતત સ્મરણ ૐ ક્રીં કાલિયે નમઃકરતા,ભક્તિજ્યોત પ્રગટી ગઈ
મનને મળે શાંંન્તિ ને નારહે કોઇ અપેક્ષા,જીવનસરળ થઈ જાય
ચરણે સ્પર્શી માતાને વંદનકરતા,ઉજ્વળ કુળનો સાથ મળી જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
કર્મના બંધન એ જીવને જકડે,અવનીના આગમનથી અનુભવાય
પવિત્રપ્રેમથી ભક્તિ પુંજા કરતા,માડીના દર્શન જીવને થઈ જાય
આંગણે આવી માડી દર્શન દઇ જાય,જે પવિત્રરાહ આપી જાય
આરતી દીવો શ્રધ્ધાએ કરતા,મા કૃપાએ જીવન સરળ થઈ જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
=====================================================
April 27th 2017

પ્રેમાળ નજર

Image result for નજર પડી
.              પ્રેમાળ નજર  

તાઃ૨૭/૪/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝાંખપ દુર થઈ,જ્યાં સીતાપતિ શ્રીરામની નજર પડી ગઈ
માનવજીવને પવિત્રરાહ મળીગઈ,અને એ જ પાવનકર્મ કરાવી રહી
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
લઘર વઘર એ છે કળીયુગની કેડી,ના કોઇ જ માનવીથી છટકાય
અવનીપર આગમન થતા જીવનુ,સમયની સાંકળથી જીવન જકડાય
ના દેખાવ સ્પર્શે કે ના અપેક્ષાય,જે પ્રભુ શ્રી રામની કૃપા કહેવાય
મળે અનંત શાંંતિ જીવનમાં માનવીને,સંગે શ્રધ્ધા ભક્તિ પણ થાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
પડે નજર જ્યાં માનવીની દેહ પર,જે ઘણીવાર ઇર્શા દ્વેશ કહેવાય
સુખ શાંન્તિથી જીવતા માનવીને,નજર પડતા દુઃખનીવર્ષા થઈ જાય
મળે માયાની સાંકળ જીવને,ત્યાં કળીયુગની અસરનો અનુભવ થાય
આવી શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પુજ્ય શ્રીરામની નજર પડી જાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
=====================================================
« Previous PageNext Page »