પ્રભુ મારા
૨૫.૭.૧૯૭૨ પ્રભુ મારા પ્રદીપ બ્રહ્મભટ્ટ
(હરિઃઑમ આશ્રમ,નડીયાદ)
હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ છુ….(૨)
સુખદુઃખની આ ઝંઝટમાંથી મુજને આજ ઉગારો…
…હે પ્રભુ મારા.
નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં ખોવાતો;
શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ જીવનમાં,
શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
માર્ગે તુ તો આગળ નાહીં મુને કછુ નહીં સુઝે…
…હે પ્રભુ મારા.
જાગ્યો જ્યારે નિંદ્રામાંથી, સંસારે હું લપટાયો;
પાપો પામ્યો જીવન ખોઈ,તુજ સંગત ના આવ્યો,
તારી પામી કૃપા ફરી હું, જીવતર જીવવા લાગ્યો;
બધાને ભૂલી,પ્રેમ સાગરમાં, તુજમાં હું ખોવાણો…
…હે પ્રભુ મારા.
જગની માયા અળગી લાગી ભવસાગરથી છુટવાને;
અળગી કરું,આમિથ્યા માયા,વળગી રહું તમને પ્રભુ,
સૃષ્ટિની આ અકળ લીલાથી, મુક્ત પ્રભુ મને કરો;
સફળ આ પ્રદીપનું માનવજીવન જન્મથી દો મુક્તિ…
…હે પ્રભુ મારા.
**************
…..શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ…
સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં સાદર અર્પણ…પ્રદીપ બ્રહ્મભટ્ટ.