July 23rd 2007

પ્રભુ મારા

૨૫.૭.૧૯૭૨                  પ્રભુ મારા                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
                       (હરિઃઑમ આશ્રમ,નડીયાદ) 
          હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ  છુ….(૨)
          સુખદુઃખની આ  ઝંઝટમાંથી મુજને આજ  ઉગારો…
                                                                              …હે પ્રભુ મારા.
          નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં  ખોવાતો;
          શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ  જીવનમાં,
          શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
          માર્ગે તુ તો આગળ  નાહીં  મુને કછુ નહીં સુઝે…
                                                                               …હે પ્રભુ મારા.
          જાગ્યો  જ્યારે  નિંદ્રામાંથી,  સંસારે હું  લપટાયો;
          પાપો પામ્યો જીવન ખોઈ,તુજ સંગત ના આવ્યો,
          તારી પામી કૃપા ફરી હું, જીવતર જીવવા લાગ્યો;
          બધાને ભૂલી,પ્રેમ સાગરમાં, તુજમાં હું ખોવાણો…
                                                                               …હે પ્રભુ મારા.
         જગની માયા અળગી લાગી ભવસાગરથી છુટવાને;
         અળગી કરું,આમિથ્યા માયા,વળગી રહું તમને પ્રભુ,
         સૃષ્ટિની આ અકળ લીલાથી, મુક્ત પ્રભુ મને કરો;
         સફળ આ પ્રદીપનું માનવજીવન જન્મથી દો મુક્તિ…
                                                                              …હે પ્રભુ મારા.
                                       **************
      …..શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ…

 સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં સાદર અર્પણ…પ્રદીપ બ્રહ્મભટ્ટ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment