મનોમંથન.
મનોમંથન
તાઃ૧૨/૫/૧૯૯૭. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી શ્રધ્ધા,સાચી ભક્તિ,
જીવન જીવવા કાજે મળતી
સાચી સેવા કરી લેવા
જીવન કેરા ફેરા લેતી.
….સાચી શ્રધ્ધા.
મનમંદીરને સદાય ઉજ્વળ,
રાખી મનમાં શિતળ નિર્ણય
પરોપકારની વહેતી ગંગા
નિશદીન ઝંખે જીવન સંગે.
….સાચી શ્રધ્ધા.
કર્મ મર્મને જાણી વિરલ
વર્તે છે નીશદીન એ જીવન
સદાચારની શીતળ શ્રેણી
કદી ન અટકે હૈયે તેને
…..સાચી શ્રધ્ધા.
દીપ બનીને નીત પ્રકાશે,
હૈયે હેત ભરીને અર્પે;
ભાવિ જીવન અર્પણ તેને,
જીવન જેના સંગે ચાલે.
…..સાચી શ્રધ્ધા.
+++++++++++++