મનોકામના.
મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.
છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
મેં જીવન જીવવા કાજે..તરસ્યો.
આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો
————————————