April 1st 2009

ક્યારે મળે?

                         ક્યારે મળે?

તાઃ૩૧/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ,જીવન ને સંગાથ,જગતમાં જન્મ મળે મળી જાય
સગપણનો રહે સંગાથ સદા,પણ પ્રેમ માનો ક્યારે મળે?
                                     ……..જીવ,જીવન ને સંગાથ.
આગમન ને વિદાયની વેળા,માનવ મનથી છે સમજાય
કેટલી,ક્યારે,કોની માયામળે,જગતમાં કોઇથીના કહેવાય
મનમુકીને અહીં માણી લેતા,જગજીવન પણ મહેંકી જાય
ના અણસાર જગતમાં જીવને રહે,અંત જીવને ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.
સૃષ્ટિનો સહવાસ મળે જ્યાં,ભક્તિપ્રેમ જીવને મળી જાય
એવી કરુણા પામી લીધી,જોઇ જગતના જીવોછે લબદાય
સર્જનહારની અકળલીલા છે,જે જીવોને શાંન્તિદે પળવાર
મહેક ને પ્રેમ મળે ભક્તિનો,પરમાત્માની કૃપા ક્યારેમળે?
                                      ……..જીવ,જીવન ને સંગાથ.

…………જય રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ……..…..

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment