April 7th 2009

સવારથીસાંજનો કક્કો

                      સવારથીસાંજનો
                                       કક્કો

તાઃ૬/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

    કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ     ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ     ગયેલી વાતને ભુલી આવતીકાલનુ વિચારો.
ઘ     ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ     ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ     છુપાવવુ એ ગુનો છે
જ     જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ     ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ      ટકોર થાય તેવુ આચરણ કરવું નહીં.
ઠ      ઠોકર વાગતા પહેલા સંભાળીને ચાલો
ડ      ડગલુ ભરતાં પહેલા વિચારવુ તે જ્ઞાન છે.
ઢ      ઢગલો પ્રેમનો રાખો, પૈસાનો નહીં
ત     તમારા સંતાનોને ભક્તિ તરફ વાળો.
થ     થાય એટલી જ વિશ્વાસથી ભક્તિ કરવી.
દ     દયા પરમાત્માની મેળવવાનો આગ્રહ રાખો.
ધ     ધનનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરો.
ન     નથી તે શબ્દ ભુલી જાવ પરમાત્માએ લાયકાત પ્રમાણે બધુ આપેલ છે.
પ     પારકુ એ પારકુ છે પોતાનુ એ પોતાનુ છે.
ફ      ફરી પૃથ્વી પર ભટકવુ હોય તો દુશ્કર્મોને વળગી રહો.
બ     બને ત્યાં સુધી ઘરમાં મંદીર રાખી સેવા કરો.
ભ     ભટકવાના ઘણા રસ્તા છે શોધવા નહીં પડે.
મ     મળેલ જન્મ સફળ કરવો તમારા હાથમાં છે.
ય     યજમાનને હંમેશા આવકાર આપો.
ર     રટણ હંમેશાં મનથી કરો આશરો શોધવો નહીં પડે.
લ     લખેલા લેખ સાચી ભક્તિથી બદલાય છે.
વ     વર્તન અને વાણી જીવનના બે પૈડા છે.
શ     શાણપણ એ મૌનમાં સમાયેલ છે.
ષ     ષોષણ કરવુ તે પાપ છે.
સ     સદા સાચા સંતના આશરે રહેવુ સાચો રસ્તો તે બતાવશે.
હ      હમણા નહીં કાલે તેમાં આખી જીંદગી પુરી થઇ જશે.
ક્ષ     ક્ષણને પારખશો તો કદી નીચુ નહીં જોવુ પડે.
ત્ર     ત્રણે લોકમાં પરમાત્માનો વાસ છે.
જ્ઞ     જ્ઞાન એ જીંદગીનો પાયો છે.

+++++++++++++++++++++++++++++++++++++++++