સવારથીસાંજનો કક્કો
સવારથીસાંજનો
કક્કો
તાઃ૬/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક કર્મ એવા કરો કે જે જીવને શાંન્તિ આપે.
ખ ખાતી વખતે હંમેશાં પરમાત્માને યાદ કરો.
ગ ગયેલી વાતને ભુલી આવતીકાલનુ વિચારો.
ઘ ઘરને મંદીર બનાવવા જીવથી પયત્ન કરો.
ચ ચતુરાઇનો ઉપયોગ હંમેશા માણસાઇમાં કરો
છ છુપાવવુ એ ગુનો છે
જ જરુર પુરતું જ બોલવું તેમાં માણસાઇ છે.
ઝ ઝગડવુ એ પાપ છે,રસ્તો કાઢવો તે હોશિયારી છે.
ટ ટકોર થાય તેવુ આચરણ કરવું નહીં.
ઠ ઠોકર વાગતા પહેલા સંભાળીને ચાલો
ડ ડગલુ ભરતાં પહેલા વિચારવુ તે જ્ઞાન છે.
ઢ ઢગલો પ્રેમનો રાખો, પૈસાનો નહીં
ત તમારા સંતાનોને ભક્તિ તરફ વાળો.
થ થાય એટલી જ વિશ્વાસથી ભક્તિ કરવી.
દ દયા પરમાત્માની મેળવવાનો આગ્રહ રાખો.
ધ ધનનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરો.
ન નથી તે શબ્દ ભુલી જાવ પરમાત્માએ લાયકાત પ્રમાણે બધુ આપેલ છે.
પ પારકુ એ પારકુ છે પોતાનુ એ પોતાનુ છે.
ફ ફરી પૃથ્વી પર ભટકવુ હોય તો દુશ્કર્મોને વળગી રહો.
બ બને ત્યાં સુધી ઘરમાં મંદીર રાખી સેવા કરો.
ભ ભટકવાના ઘણા રસ્તા છે શોધવા નહીં પડે.
મ મળેલ જન્મ સફળ કરવો તમારા હાથમાં છે.
ય યજમાનને હંમેશા આવકાર આપો.
ર રટણ હંમેશાં મનથી કરો આશરો શોધવો નહીં પડે.
લ લખેલા લેખ સાચી ભક્તિથી બદલાય છે.
વ વર્તન અને વાણી જીવનના બે પૈડા છે.
શ શાણપણ એ મૌનમાં સમાયેલ છે.
ષ ષોષણ કરવુ તે પાપ છે.
સ સદા સાચા સંતના આશરે રહેવુ સાચો રસ્તો તે બતાવશે.
હ હમણા નહીં કાલે તેમાં આખી જીંદગી પુરી થઇ જશે.
ક્ષ ક્ષણને પારખશો તો કદી નીચુ નહીં જોવુ પડે.
ત્ર ત્રણે લોકમાં પરમાત્માનો વાસ છે.
જ્ઞ જ્ઞાન એ જીંદગીનો પાયો છે.
+++++++++++++++++++++++++++++++++++++++++