કર્તાહર્તાની માયા
કર્તાહર્તાની માયા
તાઃ૩/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્તા હર્તાની ના માયા કે ના માયા દામ દમડીની
માયા મને લાગી ભક્તિની ના જગતની શક્તિની
……કર્તા હર્તાની ના માયા.
અર્જુનને અણસાર દીધો ત્યાં છુટી માયા સૃષ્ટિની
નાહક ની વ્યાધી આ દેહને ના મળે કોઇ લગની
મુક્યા મોહ ધરતીપરના ત્યાંમળી માયાભક્તિની
સકળ સૃષ્ટિના તારણહાર,જગથી આવે ત્યાંમુક્તિ
…… કર્તા હર્તાની ના માયા.
જલા સાંઇની ભક્તિએ મને મળ્યા સાચા સંસ્કાર
આજકાલનોના ભરોસો આતો કળીયુગછે કહેવાય
ક્યારે આવે મૃત્યુ દેહને ના માનવીથી સમજાય
મળીજશે આ પામરદેહ અવનીમાંમૃત્યુ તેકહેવાય
…… કર્તા હર્તાની ના માયા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@