ગુજરાતી સાહિત્ય સરીતા
ગુજરાતી
સાહિત્ય
સરિતા
તાઃ૨૦/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુ ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
જ જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.
સા સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.
સ સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે.
હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ.