અજ્ઞાનતાનો અંધકાર
અજ્ઞાનતાનો અંધકાર
–
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં કર્યુ મેં કર્યુ તેમ મનથી સમજાય છે પળવાર
કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય
પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય
મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય
શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય
ઓળખી લેતા માનવ મનને,પવિત્ર જીવન થાય
ભજન ભક્તિને સંગે રાખતાં,પ્રભુ કૃપા મળી જાય
સાચીસમજ આવતાં,અજ્ઞાનતાનો અંધકારદુરથાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
++++++++++++++++++++++++++++++++++++++