કલ્યાણના માર્ગ
કલ્યાણના માર્ગ
તાઃ૨/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવ દેહ જગતમાં,કૃપા પરમાત્માની કહેવાય
જન્મધરીને આવતાં જીવને,મુક્તિના માર્ગ મળીજાય
……….મળે માનવ દેહ જગતમાં.
માબાપનો પ્રેમ મળી જાય,જ્યાં બાળપણને સચવાય
મળીજાય જ્યાંનિર્મળસ્નેહ,જે જીવનુ કલ્યાણ કરીજાય
આશીર્વાદ જ્યાં મનથી મળે,ત્યાં જીવને શાંન્તિ થાય
વાણીવર્તનવિચારસાચવતાં,માર્ગ સફળતાનોમેળવાય
……….મળે માનવ દેહ જગતમાં.
મહેનત મનથીકરતાં ભણતરે,જીવન ઉજ્વળ થઇ જાય
સાચી રાહ જીવનમાં લેતાં,સઘળી વ્યાધીઓ ટળી જાય
મનને શાંન્તિ મળે આવીને,ત્યાં પ્રેમની વર્ષા જ થાય
સંબંધ અને દેહના માર્ગ,જીવથી આજન્મે જ છે લેવાય
……….. મળે માનવ દેહ જગતમાં.
અપારલીલા કુદરતનીભઇ,જ્યાં જીવથી સમજાઇજાય
ભક્તિમાર્ગની કેડીલેતાં,જીવથીપ્રભુકૃપા મેળવાઇજાય
સંતને વંદન કરતાં દેહથી,સદમતિ દેહને દેખાઇ જાય
પામી પ્રેમ પરમ પિતાનો,કલ્યાણનામાર્ગ મળી જાય
……….મળે માનવ દેહ જગતમાં.
================================