પ્રાર્થનાનુ ફળ
પ્રાર્થનાનુ ફળ
તાઃ૪/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ સંસારની માયા,વળગી ચાલે કાયાને
મળે ક્યારે કોઇના જાણે,સંબંધ છો હોય કર્મોના
………સુખદુઃખ સંસારની માયા.
માયા તો સૌ જીવને વળગી.ના રહે એ અળગી
દેહ ભલે હોય માનવ કેપ્રાણી,ના શકે કોઇ છટકી
બુધ્ધિ કેરા દાનદીધા છે,પરમાત્માએ માનવ દેહે
સમજી વિચારી જે પગલુ માંડે,મળે ભક્તિની કેડી
………સુખદુઃખ સંસારની માયા.
ઉજ્વળ જીવન પામવા,જીવને રહે રટણ હૈયેથી
પ્રભુકૃપા મળીજાય જ્યાં,પાર્થના કરીએ મનથી
ભક્તિપ્રેમથી કરતાંપ્રભુની,ઉજ્વળ જીવન લાગે
સફળતાનીસીડીમળે,જે પ્રાર્થનાનુ ફળ લઇઆવે
………..સુખદુઃખ સંસારની માયા.
=============================