April 29th 2013

પિતાનો જન્મદીન

 

 

 

 

 

 

 

 

                      .પિતાનો જન્મદીન     (એપ્રીલ ૧૬)

તાઃ૨૩/૪/૨૦૧૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પુજ્ય પિતાજીનો એપ્રીલ ૧૬મીએ, જન્મદીન ઉજવાય
લાગણી મોહ ને માયાને છોડી,પિતાના ચરણોમાં વંદન થાય
એવા મારા વ્હાલા પિતાનો.આજે૯૩ મો જન્મદીવસ ઉજવાય
.           ……………………પરમ પુજ્ય પિતાજીનો.
ભણતરની કેડી દીધી સંતાનોને,ને સાથે દીકરીઓને સંસ્કાર
મનથી મહેનત કરતા જીવનમાં,મળી ગયાછે સૌને સોપાન
નિર્મળતાનોસંગ રાખીને જીવતા,પરદેશમાં એ પહોંચી જાય
ભક્તિપ્રેમને પકડી ચાલતા,જીવનથી મોહમાયા ભાગી જાય
.           …………………..પરમ પુજ્ય પિતાજીનો.
પ્રેમની સાંકળ દીધી માતાએ,જે સંસ્કારને સાથે રાખી જાય
આંગળી ચીંધી પિતાજીએ સંતાનોને,જે ભણતરે દોરી જાય
સમયને પકડી સંતાનો ચાલતા,ના વ્યાધી કોઇજ અથડાય
મળે જગતમાં પ્રેમસૌસંબંધીઓનો,ને આશીર્વાદ મળી જાય
.           …………………..પરમ પુજ્ય પિતાજીનો.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
     મારા વ્હાલા પુજ્ય પિતાજીનો ૯૩મો જન્મદીવસ મારા વ્હાલા ભાઇ બહેન ઉજવી રહ્યા છે.
તે પ્રસંગને પુજ્ય સંત જલારામ બાપા  અને  સંત પુજ્ય સાંઇબાબાને અંતરથી મારી પત્ની 
અ.સૌ.રમા તથા મારા સંતાન રવિ અને દીપલ સહિત પ્રાર્થના કે તેમને સર્વ રીતે શાંન્તિ આપી
અખંડ તેમના જીવને પવિત્ર રાહ આપે.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ ના પરિવાર સહિત વંદન.                        

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment