August 6th 2013

આશીર્વાદ મા ના

.                 .આશીર્વાદ મા ના

તાઃ૬//૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર તો આવી ગયા,એ જીવને દેહ મળતા જ સમજાય
દુઃખ વેઠીને જન્મ આપતા,માતાને સંતાન મળી ગયુ કહેવાય
.                        …………………અવનીપર તો આવી ગયા.
અનંતપ્રેમ માતાનો વર્ષે,જ્યારે જીવનુ દેહમાં આગમન થાય
સાચો પ્રેમ આપીને પાલવતા,મા ઘણુ દુઃખ સહન કરતી જાય
આચરકુચરને છોડી દઇને,ભાવતુ ભોજનપણ દુર રાખતી જાય
આજ આશીર્વાદ માતાના  સંતાનને,ના અપેક્ષા કોઇજ રખાય
.                       ………………….અવનીપર તો આવી ગયા.
સંતાનને સાચાસંસ્કાર આપીને,ભક્તિમાર્ગ પણ બતાવી જાય
સંતાનના દેહને સાચવી રાખવા,અનેક બંધનથી બંધાઇ જાય
પ્રેમની પાવનકેડી સમજાવી,સરળ જીવનનોમાર્ગ આપીજાય
મળી જાય સંતાનને પ્રેમ માનો,જ્યાં મા ને ચરણે વંદન થાય
.                     ……………………અવનીપર તો આવી ગયા.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment