અગમ નીગમ
. . અગમ નીગમ
તાઃ૧૪/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગમ નીગમના ભેદના જાણે,અવનીપર આવનાર
શ્રધ્ધા સ્નેહની સાંકળ સાચી, જીવને મુક્તિ એ દેનાર
. ………………….અગમ નીગમના ભેદના જાણે.
અજબ ગજબની શક્તિ પ્રભુની,ના કોઇનાથીય અંબાય
ક્યારે પ્રેમની વર્ષા વરસે,ને ક્યારે એજીવન રોળી જાય
અવનીપરના દેહની સમજ,એ કર્મ ધર્મથી જ સમજાય
મળશેપ્રેમ સંતજલાસાંઇનો,જીવને રાહસાચી મળીજાય
. …………………..અગમ નીગમના ભેદના જાણે.
મળેલ કેડી જીવને દોરે,જ્યાં સાચી ભક્તિ ઘરમાં થાય
મંદીરના બારણા ખખડાવતા,ના પ્રેમ જ્યોત મેળવાય
અંતરના આનંદને પામવા જીવે,પ્રભુ ભક્તિને પકડાય
મળે કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
. …………………..અગમ નીગમના ભેદના જાણે.
===================================