ક્યારે
.
. .ક્યારે
તાઃ૨૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
અવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય
ગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય
અપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય
ના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય
…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
મળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય
સંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય
મળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય
અનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
###################################