February 2nd 2015

જીવના કર્મ

.                 . જીવના કર્મ          

તાઃ૨/૨/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ્

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ મળી જાય
પાવનકર્મની કેડી પકડી ચાલતા,જીવને મળેલ જન્મ સફળ થઈ જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.
મળેલ દેહ અવનીએ જીવને,જે ગત જન્મે કરેલ કર્મથી જ મળી જાય
અવનીપરનુ આગમન એજ છે કર્મનુ બંધન,ના કોઇ જીવથી છટકાય
જલાસાંઇની નિર્મળ ભક્તિ કરતા,જીવને સાચી ભક્તિ રાહ મળી જાય
કર્મની શીતળ કેડી પકડી જીવતા,મળેલઆમાનવ જીવન મહેંકી જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.
મળે જ્યાં આશિર્વાદ સંતાનને,ત્યાં સંતાનનુ જીવન સંસ્કારી થઈ જાય
માતાના સ્નેહાળ પ્રેમને પામતા,જીવનમાં ના આફત કોઇ જ અથડાય
પિતાએ દીધેલ ઉજ્વળ રાહે જીવતા,સંતાનનુ સરળ જીવન થઈ જાય
ના અપેક્ષા કે ના લાગણી મોહ,માનવ જીવનમાં કદીય એ સ્પર્શી જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment