February 4th 2015

જીવન જકડે

  1.     .જીવન જકડે

તાઃ૪/૨/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાકોઇ ઇચ્છા રહે જીવનમાં,જ્યાં સાચી પવિત્રભક્તિ પ્રેમે થાય
………………એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,નાકોઇ જીવથી દુર જવાય
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જે જીવને દેહ આપી જાય
મહેંકપ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પુંજા થાય
આવી આંગણે કુદરતી પ્રેમ મળે,જે આ જીવન નિર્મળ કરી જાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
સંબંધ સાચવીને જીવનજીવતા,જીવનમાં ખુશીનુ આગમન થાય
નિર્મળ પ્રેમથી સંબંધ સચવાતા,જીવને ના સ્વાર્થમોહ અડી જાય
આજકાલને સમજીને ચાલતા,જીવનમાં અદભુતપ્રેમ મળતો જાય
ભક્તિરાહ મળે જલાસાંઇની સાચી,જે મળેલ જન્મ સફળ કરીજાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment