February 19th 2015

મહાશિવરાત્રી

.                       .મહાશિવરાત્રી

તાઃ૧૭/૨/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ્

જગતપિતા શ્રી ભોલેનાથની,આજે મહા શિવરાત્રી ઉજવાય
પ્રેમની પાવનકેડી દેતા પિતાને,આજે શ્રધ્ધાએ વંદન થાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
હરહર ગંગે મહાદેવ સંગે વંદન કરતાં,ભક્તિ ઉજ્વળ થાય
માતા પાર્વતીજીની અસીમકૃપાએ,મળેલ જન્મસાર્થકથાય
કૃપા મળે માબાપની જીવને,જ્યાં શ્રી ગણપતિ પુંજા થાય
ગં ગણપતયે નમઃના સ્મરણે,જીવથી અજબકૃપા મેળવાય
…એવા ગજાનંદના પિતા શ્રી ભોલેનાથની આજે શિવરાત્રી ઉજવાય.
ધુપદીપ સંગે વંદન કરતા,શિવલીંગે દુધથી અર્ચના થાય
પાવનકર્મની કેડી લેવા,પંચામૃતથી પાવનચરણને ધોવાય
રુદ્રાભિશેકની પવિત્ર સેવાએ,જીવનની ઝંઝટોય ભાગી જાય
પવિત્રદીનની સાચીરાહે રહેતા,માતાપિતાનો પ્રેમમળીજાય
…પવિત્ર જીવન ભક્તિએ જીવતા,જીવને અંતે મુક્તિરાહ મળી જાય.
અજબશક્તિધારી પિતા શીવજી,ને માતા પાર્વતીજી પ્રેમાળ
પુત્ર ગજાનંદ છે ભાગ્યવિધાતા,કર્મના બંધનથીજ તેડી જાય
અવનીપરનુ આવન જાવન,જીવને સાચીભક્તિએ મળીજાય
મોહમાયાના સ્પર્શે જીવને.ત્યાંજ સાચી ભક્તિરાહનીકૃપાથાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment