June 8th 2015

મનની માગણી

.               . મનથી માગણી

તાઃ૮/૬/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી માગણી માનવીની ,જીવનમાં અનેક રીતે ઓળખાય
પામર પ્રેમને પારખી જીવતા,સાચી શ્રધ્ધાએ જ મળી  જાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. જીવને મળતી જ્યોત જીવનમાં,અનેક માર્ગ બતાવી જાય સમજી વિચારી કેડી પકડતા,પ્રભુની અસીમકૃપા થઈ જાય મનથી કરેલ માગણી જીવને,શ્રધ્ધાએ જીવનમાં મળીજાય
ના અડે જ્યાં મોહમાયા જીવને,ત્યાં જલાસાંઈની કૃપા થાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. મળેલ અવનીએ માયા જીવને,કર્મનાબંધનથી જકડી જાય
નિર્મળ ભાવનાએ જીવતા,નામાગણી કોઇ જીવને રહી જાય
અનંતપ્રેમ મળે અનેક જીવનો,ના કદી કોઇ કલ્પના રખાય
ના માગણી કોઇ મનથી રહે,કે ના કોઇ અપેક્ષાય થઈ જાય
………કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. ===========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment