નિખાલસ
. .નિખાલસ
તાઃ૨૬/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાઅપેક્ષા કે માયા રહે,ત્યાં નિખાલસ જીવન મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે કર્મની કેડીએ લઈ જાય
અસીમકૃપા મળે જલાસાંઈની,સાચો ભક્તિમાર્ગ દઈ જાય
અનંત પ્રેમની વર્ષા થાય,જ્યાં સાચા કલમપ્રેમી મળીજાય
શબ્દે શબ્દને પારખીલખતા,ઉજ્વળસંગાથ પણ મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
લાગણી એ તો છે નિખાલસતા,જે અંતરથી જ નીકળી જાય
ના એમોહમાયાની ચાદર છે,કે ના અભિમાનની કોઇ જ્યોત
મળે પ્રેમથી સંગાથ જીવનમાં,જ્યાં નિર્મળકેડી એજ જીવાય
મળેલ દેહને પાવનરાહથી જીવતા,અનંત શાંન્તિ મળીજાય
………એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
======================================