June 29th 2015

ગોકુળની ગોપીઓ

Gopal Krishna

 

.                  .ગોકુળની ગોપીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃષ્ણકૃષ્ણ ગોપાલકુષ્ણ,વૃદાવનમાં ગોપીઓને સંગેછે કૃષ્ણ
રાસની રમઝટ રમે શ્રી કૃષ્ણ,રાધાની સંગે ઘુમે છે કૃષ્ણ
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
ગોકુળનો છે એ ગોવાળીઓ,ને દ્વારકાના એ દ્વારકાધીશ
અજબ લીલા એજગતપિતાની,અવનીએ દેહ ધરી જાય
રાધા રાધાનુ રટણ કરતા જ,વૃદાવનમાં એ ઘુમી જાય
એ જ લીલા છે જગતપિતાની,માનવદેહ એ ધરી જાય
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
કૃષ્ણ કનૈયો વ્હાલો સૌને,રાસ રમે એ ગોપીઓની સંગે
પ્રેમ નિખાલસ પામી લેતા,ઉજ્વળરાહ જીવનમાં લેતા
વાંસળી વાગતા પ્રેમ વર્ષે,ત્યાં પ્રભુપ્રેમની જ્યોતદીપે
ભક્તિભાવથી ગરબે ધુમતા,વૃદાવનમાંએરમઝટ કરતા
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.

*************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment