July 1st 2015

દેહની લાયકાત

.             .દેહની લાયકાત

તાઃ૧/૭/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,ત્યાં નિર્મળ જીવન થઈ જાય
મોહમાયાના  સ્પશે દેહને,એજ સાચી માનવતા કહેવાય
……….જે જીવે કરેલ કર્મ જીવનમાં લાયકાતની કેડીએ સહેવાય.
પ્રેમ મળે સંતાનને માબાપનો,જ્યાં માબાપને માન અપાય
શ્રધ્ધા રાખી આંગળી પકડી ચાલતા,પિતાની કેડી મળી જાય
આશિર્વાદની ગંગા વહે સંતાન પર,જ્યાં માતાને વંદન થાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા,સાચીરાહ કૃપાએ મેળવાય
……….એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.
ભણતર એ છે જીવનની કેડી,જે  જીવને સદમાર્ગે  દોરી જાય
મળે માન અને સન્માન દેહને ,જે કરેલ ભણતરથી મેળવાય
મળે કૃપા સંત જલાસાંઈની,જ્યાં વડીલને પ્રેમે વંદન થાય
આજકાલને આંબી લેતા જગે,મળેલ દેહનુ સન્માન થઈ જાય
………..એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++