ગુરૂ પુર્ણિમા
. .ગુરૂ પુર્ણિમા
તાઃ૩૦/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનની રાહ મળે,જ્યાં ગુરૂની કૃપા થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જગે,જ્યાં ગુરૂને વંદન થાય.
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
ભણતરથી ર્ઉજ્વળ રાહ મળે,જ્યાં ગુરૂજીને અનુસરાય
દીધેલરાહને પકડી ચાલતા,મા સરસ્વતીની કૃપાથાય
ડગલે પગલે સફળતામળે,એ સાચી લાયકાત કહેવાય
ઉજ્વળજીવન જીવતા,જીવનમાં સંગાથપણ મળીજાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
માનવદેહ એ કૃપા પ્રભુની,જ્યાં નિખાલસ જીવન જીવાય
ભક્તિમાર્ગની કેડીમળે,જ્યાં સંત જલાસાઇને ગુરૂ કહેવાય
ગુરૂ પુર્ણિમાના દીવસે અંતરથી,સાચા સંતને વંદન થાય
મળે માર્ગ મુક્તિનો જીવને,જે ગુરૂદેવની કૃપાએ મેળવાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
===========================================