July 2nd 2015

શ્રધ્ધા જ્યોત

jaliyan

.             . શ્રધ્ધા જ્યોત

તાઃ૨/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાની જ્યોત જલારામની,પાવનકર્મ કરાવી જાય
સંસ્કારની કેડી વિરબાઈની,પરમાત્માને ભગાડી જાય.
………..અન્નદાનની પ્રેમાળ જ્યોતે,અનેક જીવોને સંતોષી જાય. માનવજીવન એ કર્મની કેડી,જે જીવને સ્પર્શતી જાય
અવનીપરનુ આગમન જીવને,જન્મ મરણથી બંધાય
જલારામની નિર્મળ સેવા,એ જ સાચીભક્તિ કહેવાય
જીવોને અન્નદાનથી સંતોષી,માનવતા મહેંકાવી જાય
………..એજ સાચી ભક્તિરાહ છે,જે  જીવને મુક્તિએ દોરી જાય.
કળીયુગનીકેડી છોડતા,પાવનરાહ જીવને મળી જાય આંગણે આવેલા જીવોને પ્રેમથી,સંતોષી એકરી જાય વિરબાઈમાતાનીસેવા,જલારામનીજ્યોત બની જાય
પાવનરાહને પકડી લેતા,પ્રભુ ઝંડો ઝોળી આપી જાય …………..પરમાત્માએ કરી કસોટી,સાચી ભક્તિએ જીતી જવાઈ. ======================================