November 23rd 2015

રામનામની માળા

.                .રામનામની માળા

તાઃ૨૪/૧૧/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,ને જીવન પ્રેમાળ થઇ જાય
સદગતિનોમાર્ગ મળેજીવને,જ્યાં રામનામનીમાળા થાય
………એજ સાચી ભક્તિની કેડી,અંતે જીવને મુક્તિ માર્ગ દઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મબંધન,ના કોઇથી છટકાય
સંસ્કાર મેળવી જીવનજીવતા,જીવનમાં સદકર્મ થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવને પવિત્રરાહ દઈજાય
વડીલના આશિર્વાદ મળતા જીવથી,પાવનરાહ મેળવાય
………જ્યાં પરમાત્માની કૃપા મળે,જે જીવને સદમાર્ગે દોરી જાય.
જન્મ મરણ એ કેડી જીવની,જગતમાં ના કોઇથીય છટકાય
રામનામથી કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
મોહમાયાની ચાદરઉડતા,જીવથીપાવનકર્મ જીવનમાંથાય
જન્મમરણના બંધનછુટે,ને અવનીપરનુ આગમનછુટીજાય
……….એજ સાચી રામનામની માળા,જીવને કૃપાએજ મળી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++