April 24th 2016

પાણી વાણી

.                .પાણી વાણી

તાઃ૨૪/૪/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જગતમાં અજબ છે શક્તિ,સમયે પરખાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી મળે,કે ના કોઇ લાગણી ઉભરાય
………..માનવ જીવનમાં સરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.
અવનીના આગમનને સ્પર્શે,જે પવિત્રપાણીએ મેળવાય
મળે દેહને પવિત્રપાણી ગંગા જમનાના,પ્રભુકૃપાકહેવાય
નાસ્પર્શે દેહને કળીયુગનીકેડી,જ્યાંમાનવતા પ્રગટીજાય
પવિત્રનદીના પવિત્ર પાણી,જે પરમાત્માની કૃપાએ થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.
દેહ મળે જ્યાં જીવને અવનીએ,ત્યાં વાણીનો સ્પર્શ  થાય
સમયની સંગે ચાલતા દેહને,સમયે બુધ્ધિ સમજતી જાય
નિખાલસ ભાવનાએ જીવતા,મુખથી પવિત્રવાણી બોલાય
વાણી સાચવી સમજી બોલતા,સંત જલાસાંઈની કૃપા થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment