July 21st 2017

લાગણીમાગણી

.           .લાગણીમાગણી 
તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

લાગણી માગણી એ જીવનમાં સ્પર્શે દેહને.જગતમાં ના કોઇથી છટકાય
અવનીપરના બંધનથી એજ મળે દેહને,જે અપેક્ષાના વાદળ વર્ષાઇ જાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
માનવ દેહને જ્યાં લાગણી સ્પર્શે,ત્યાં મળેલ દેહ તકલીફથી દુર રહી જાય
શાંંતિની કૃપા મળે પરમાત્માની દેહને,જે કુદરતનીજ નિર્મળ કૃપા કહેવાય
ભક્તિ માર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં અદભુત અનુભવ થઈ જાય
એજ સાચી લાગણી મળેલ કહેવાય,જ્યાં નાકદીય કોઇ અભિમાન રખાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
અવનીપરના આગમને માનવદેહ મળે,જેને માગણીની અપેક્ષા અડી જાય
જીવનમાં સમયનો સાથ મળેછે દેહને,જે મળેલદેહને સુખદુઃખ આપી જાય
કર્મના સંબંધની આ છે લીલા અવનીએ,જીવનમાં કદી એઆફત દઈજાય
મળેલદેહને સ્પર્શે છે કરેલ કર્મ,જે કળીયુગ કે સતયુગની લીલાજ કહેવાય 
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
=======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment