July 31st 2017
..
. .શ્રધ્ધાથી સેવા
તાઃ૩૧/૭/૨૦૧૭ (શ્રાવણસુદ આઠમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણ માસની આઠમ આજે,ને સુર્યદેવની કૃપાએ સવાર પડી જાય
પાવનરાહ મળે જીવને હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાએ શ્રાવણ માસમાં પુંજન થાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
મનમાં રહેલ પવિત્ર ભાવના જીવનમાં,મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય
ના મોહમાયાની ચાદર અડે દેહને,કેના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,મા પાર્વતી પતિ શ્રી ભોલેનાથ કૃપાળુ થાય
એકજ આશિર્વાદની કૃપાએ જગતમાં,અબજો જીવો મુક્તિમાર્ગ મેળવી જાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
અજબશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે પવિત્રગંગાનુ આગમન કરાવી જાય
મળેલદેહને કૃપામળે ગંગામાતાની,વંદન કરી અર્ચનાએ જીવ મુક્તિમાર્ગે દોરાય
કરેલ કર્મથી મળેશાંંન્તિ જીવને,જે ગૌરીનંદન શ્રી ગણપતિની કૃપાએ મળીજાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ અનુભવાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
=============================================================
No comments yet.