પવિત્ર દીવાળી
. .પવિત્ર દીવાળી
તાઃ૧૯/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને પકડી ચાલતા જીવનમાં,અનેક તહેવારો આવી જાય
મનને મળતી અનંત શાંન્તિ,પરમાત્માની કૃપાએજ મળી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
ધર્મકર્મનો સંબંધછે જીવને અવનીએ,માનવદેહ મળતા સમજાય
હિન્દુ ધર્મ એ પવિત્ર ધર્મ છે,જે અનેક આફતથી બચાવી જાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શેજીવને,નાકોઇ અભિમાન મેળવાય
માનવજીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
પવિત્રદીવસ એ દીવાળીનો અવનીએ,નવા વર્ષને એ પ્રેરી જાય
મઠીયા ઘુઘરાને પ્રેમથીજ ખાતા,દીવાળીના દીવસને યાદ રખાય
મળે દેહને અનંતશાંન્તિ જીવનમાં,જ્યાં પ્રેમથી તહેવાર ઉજવાય
પવિત્રદીવસની રાહ જોતોમાનવી,વર્ષના અંતને ઓળખાઈ જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
========================================================