January 5th 2018

ક્યાંથી ક્યારે

.           .ક્યાંથી ક્યારે        

તાઃ૫/૧/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સ્પર્શે જીવને અવનીપર,એ કુદરતની કરામત કહેવાય
ક્યાંથી આવશો ને ક્યારે જશો,નાકોઇ જીવને કદી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
કરેલ કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપર દેહ મળે દેખાય
પ્રાણી પશુ કે માનવદેહ અવતર,દેહ મળતા રાહને મેળવાય
દેહને સ્પર્શે છે કરેલ કર્મ,જીવને ક્યાંથી ક્યાંય એ લઈ જાય
પ્રેમની પાવનરાહે જીવતા જીવને,જલાસાંઇની રાહ મળી જાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલ દેહથી થયેલ કર્મથી,જગતપર આવનજાવન સ્પર્શી જાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,જીવને જગતપર ફેરવી જાય
નાકોઇ જીવને સ્પર્શે સમય કે ના કોઈ જીવથીય કદી છટકાય
એજ પાવનકૃપા છે પ્રભુની જગતપર,નિર્મળ જીવનથી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
======================================================
January 4th 2018

પ્રેમનો સ્પર્શ

.          .પ્રેમનો સ્પર્શ
તાઃ૪/૧/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહનો સંબંધ અનેરો,જીવને અનેક સ્પર્શથી સમજાઈ જાય
નાકળીયુગથી કોઈ જીવ છટકે,જે અવનીપરના આગમનથી દેખાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
પાવનકર્મથી રાહ મળે માનવતાની,જન્મમરણના બંધન આપીજાય
કરેલકર્મ એ દેહનાસંબંધ અવનીએ,જે માબાપાની કૃપાએ મેળવાય
નિર્મળરાહે જીવન જીવતા જીવપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થાય
મળેલપ્રેમનો સ્પર્શ થાય જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
કર્મના બંધન એતો કુદરતની કેડી,નાકોઇ જીવથી જગતમાં છટકાય
દેહ મળે અવનીપર જીવને,એજ કુદરતની સરળ સમયલીલા કહેવાય
માનવજીવનની મહેંક પ્રસરે મળેલદેહની,જે ભક્તિપ્રેમથી જ મેળવાય
પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની રાહે જીવાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
======================================================

 

« Previous Page