February 13th 2018

પરમપિતા પરમાત્મા

Image result for પરમપિતા પરમાત્મા
.          .પરમપિતા પરમાત્મા
તાઃ૧૩/૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલે મહાદેવ હર,જગતપર અજબ શક્તિશાળીથી ઓળખાય
પાવનકર્મની રાહે ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ માર્ગજ મળી જાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
અવનીપરનુ આગમન પરમાત્માનુ,જે મહાશિવરાત્રીના દીવસે દેહ લેવાય
પવિત્ર રાહ જીવોને આપવા સંગે પાર્વતી માતાનો પણ સાથ મળી જાય
ત્રિશુલધારીછે એ હિમાલયવાસી,જે ભારતમાં પવિત્રગંગા વહેવડાવી જાય
જીવને મળેલ દેહને અવનીપર,શ્રીભોલેનાથની ભક્તિએ મુક્તિ મળી જાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
માનવદેહને રાહ મળે જીવનમાં,એ અવનીપર કર્મની કેડી એમ કહેવાય
કર્મનાબંધન એ ભાગ્ય કહેવાય,જે જગતપર ભાગ્યવિધાતાથીજ મેળવાય
શ્રી ભોલેનાથના છે પુત્ર ગણેશ,જે જીવને અવનીપર ભાગ્ય આપી જાય
એ ગણપતિજી વિઘ્નવિનાયક કહેવાય,જે રિધ્ધીસિધ્ધિના પતિદેવ કહેવાય
......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય.
************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment