પરમપિતા પરમાત્મા
. .પરમપિતા પરમાત્મા
તાઃ૧૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ બમબમ ભોલે મહાદેવ હર,જગતપર અજબ શક્તિશાળીથી ઓળખાય પાવનકર્મની રાહે ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ માર્ગજ મળી જાય ......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય. અવનીપરનુ આગમન પરમાત્માનુ,જે મહાશિવરાત્રીના દીવસે દેહ લેવાય પવિત્ર રાહ જીવોને આપવા સંગે પાર્વતી માતાનો પણ સાથ મળી જાય ત્રિશુલધારીછે એ હિમાલયવાસી,જે ભારતમાં પવિત્રગંગા વહેવડાવી જાય જીવને મળેલ દેહને અવનીપર,શ્રીભોલેનાથની ભક્તિએ મુક્તિ મળી જાય ......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય. માનવદેહને રાહ મળે જીવનમાં,એ અવનીપર કર્મની કેડી એમ કહેવાય કર્મનાબંધન એ ભાગ્ય કહેવાય,જે જગતપર ભાગ્યવિધાતાથીજ મેળવાય શ્રી ભોલેનાથના છે પુત્ર ગણેશ,જે જીવને અવનીપર ભાગ્ય આપી જાય એ ગણપતિજી વિઘ્નવિનાયક કહેવાય,જે રિધ્ધીસિધ્ધિના પતિદેવ કહેવાય ......એ પવિત્રકૃપા શંકર ભગવાનની,જે ૐ નમઃશિવાયના મંત્ર જાપથી મેળવાય. ************************************************************