June 4th 2018

પાવનજીવન

.         .પાવન જીવન        

તાઃ૪/૬/૨૦૧૮           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા,જગતપર જીવનેઅનેક રાહે સહેવાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા,જીવની નિર્મળ જ્યોત પ્રગટી જાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં પાવનરાહે ભક્તિ કરાય
અપેક્ષાપર અંધકાર રાખતા,શ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી અવનીને પાવનકરી,જે માનવીએ અનુભવ થાય
સદમાર્ગની રાહ ચીંધે પરમાત્મા,મળેલદેહને ઉજવળ કરીજાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
સવાર સાંજની પાવનરાહે જીવાય,એ સુર્યદેવની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની રાહમળે,જ્યાં પાવનભાવથી નિર્મળભક્તિ થાય
સરળતાનો સહવાસ મળે,પરમાત્મા દેહને આંગળી ચીંધીજાય
નામોહની કોઇ માયા સ્પર્શે,કે નાજીવથી કોઇ માગણી થાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment