June 9th 2018

મનનો મેળ

.           મનનો મેળ 

તાઃ૯/૬/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જયાં પાવનરાહથી જીવન જીવાય
માનવતાની મહેંકપ્રસરે અવનીએ,જે કુટુંબની પવિત્રકેડીએ દેખાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
નિર્મળજીવન એ માનવીની સમજ,જે અનુભવથી આત્માને સમજાય
આંગણે આવી પ્રેમ સંગે કૃપા મળે,એજ ભગવાનની લીલા કહેવાય
મનને મળેલ વિચારની ગાથા,સત્માર્ગે જીવતા શ્રધ્ધાભક્તિ મળીજાય
નામોહની કોઇ માયા લાગે જીવનમાં,કે નાઆફત કોઇ આવી જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
શાંંન્તિ નો સહવાસ મળે જીવનમાં,એ પવિત્રરાહ દેહને આપી જાય
મનને મળેલ નિખાલસતાએજ જીવતા,મળેલ જન્મ પાવન થઇ જાય
અનેક જીવોને જલાસાંઇની રાહે શાંંન્તિ આપતા સુખની વર્ષા થાય
અજબ શક્તિશાળી દેવના અનેક સ્વરૂપ,જે અવનીએ દેખાઈ જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment