September 1st 2018

ભજનપ્રેમ

.             .ભજનપ્રેમ    

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમથી ભોલેનાથનુ ભજન કરતા,શંકર ભગવાનની પરમકૃપા થઈ જાય
પાવનરાહે જીવન જીવતા જીવપર,માતા પાર્વતીનો પ્રેમપણ મળી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
શ્રધ્ધાભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાનો અનુભવ થઈ જાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,અવનીપર ભજનપ્રેમનો સંગ મેળવાય
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,જે ગણેશજીને અજબશક્તિ આપીજાય
રિધ્ધી સિધ્ધીના એ પ્રણેતા જગતમાં,જે જીવોના ભાગ્યવિધાતાય કહેવાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
કર્તાહર્તા જગતના ભારતમાં,માગંગા,જમના,સરસ્વતી,યમુના વહાવી જાય
મુક્તિમાર્ગ મળે જીવને અર્ચના કરવાથી,જેદેહને સદમાર્ગ પણ આપી જાય
સરળતાનો સહવાસ મળતા સંસારમાં,પિતામાતાપુત્રપુત્રીનો પ્રેમ મળી જાય
મળેલદેહથી શ્રધ્ધાપ્રેમે ભજન કરતા,મળેલકૃપા ધરને પણ પાવન કરી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment