ગજાનન ગણપતિ
........ . .ગજાનન ગણપતિ તાઃ૧/૧/૨૦૧૯ પ્રદીપ બહ્મભટ્ટ માતા પાર્વતીના એ લાડલાદીકરા,ને શંકર ભગવાનની એપાવનપેઢી પણ કહેવાય માબાપની પવિત્રરાહને પકડીને જીવતા,અવનીપર ગજાનન ગણપતિથી ઓળખાય .....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય. અજબશક્તિ મળી પિતાના આશિર્વાદથી,જે મળેલદેહોના ભાગ્યવિધાતા થઈ જાય નિર્મળરાહ મળતા જીવનમાં સંગાથ મળે,એ રીધ્ધી સિધ્ધીના ભરથાર પણ કહેવાય કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,જગતપર હિંદુ ધર્મમાં દરેક પ્રસંગે પુંજન થાય એજ કુદરતની લીલાછે અવનીપર,જે મળેલ દેહોના પાવનકર્મથી કૃપાને પાત્ર થાય .....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય. ભક્તિનો સંગાથમળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રીગણેશજીના આશિર્વાદ મેળવાય સરળ જીવન જીવતા અવનીપર અનંત શાંંન્તિના સંગે,નિર્મળરાહ દેહને મળી જાય આવતીકાલને સમજીને ચાલતા જીવનમાં,શ્રી ગનેશજીનીકૃપા વર્ષોવર્ષ મળતી થાય નાકોઇ જીવથી છટકાય અવનીપર,જે દેહ મળતા જીવપર ભોલેનાથની કૃપા થાય .....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય. ======================================================================