February 26th 2019

માતાની કૃપા

.            .માતાની કૃપા   

તાઃ૨૬/૨/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહ અવનીપર,અનેક રાહે અનુભવનો સંગ મેળવી જાય
નિખાલસ ભાવનાનો સંગરાખી જીવનમાં,માતાની શ્રધ્ધાએ પુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પાવનરાહનો માર્ગ મળે જીવને,જે દેહના વર્તનથી અવની પર દેખાય
આગમનવિદાયનો સંબંધ જીવનો,જે અનેકદેહોથી જીવને સ્પર્શી જાય 
નિર્મળજીવનનો સાથ મળે,જે મળેલ દેહની પાવન ભક્તિએ મેળવાય
અનેક માતાનીકૃપાછે જીવપર,જ્યાં નિર્મળભાવનાએ માતાનીપુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પવિત્ર ધરતી ભારત પર પરમાત્મા,અનેક દેહ લઈ દર્શન આપી જાય
પાવનરાહ મળે દેહને પ્રભુ કૃપાએ,જે જીવનમાં થયેલ કર્મથીજ દેખાય
અનેક પવિત્રદેહ માતાએ ભારતમાં લીધા,જે જીવને પ્રેરણા આપીજાય
સુખશાંંન્તિનો સંગાથમળતા જીવને,મળેલદેહને નાઆફત કોઇ અથડાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment