સંગાથ મળ્યો
. .સંગાથ મળ્યો
તાઃ૨/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની કૃપાએ મળેલ માનવદેહને,સુખ શાંંતિનો સંગાથ મળી જાય પાવનરાહ મળે દેહને જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય ......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય. નિર્મળપ્રેમ લઈને આંગણે આવવા,પરમાત્મા એજીવને પ્રેરણા આપી જાય સમયની સમઝણ એ કુદરતની કેડી,જે અવનીપર મળેલદેહને અનુભવાય માનવતાની મહેંકપ્રસરે જગતપર,જે સત્કર્મના વર્તનથી જીવનમાં મેળવાય મળેલ માનવજીવનમાં શાંંતિમળે,જ્યાં નિર્મળજીવનની રાહપકડીને જીવાય ......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય કર્મનો સંબંધ એ અવનીપરનુ આગમન,દુનીયાપર દેહ મળતાજ અનુભવાય અનંત શાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિખાલસભાવનાથી પુંજન થાય શ્રધ્ધા ભાવનાથી ભક્તિકરતા પરમાત્માની,જીવને નિર્મળરાહ એ આપી જાય સફળ જીવનની રાહ મળે મળેલદેહને,જે મળેલ જન્મને સફળતા આપી જાય ......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય ==========================================================