July 23rd 2020

સમયનીસમજણ

.              સમયની સમજણ     

તાઃ ૨૩/૭/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર સમય ના પકડાય કોઇથી,કે ના કોઇથી સમયથી છટકાય
એજ લીલા પરમાત્માની ધરતીએ,જે માનવદેહથી દર્શન આપી જાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
મળેલદેહને સંબંધકર્મનો જે દેહથી દેખાય,જે જન્મમરણથી સહેવાય
દેખાવની દુનીયામાં ચાલતોમાનવી,આફત મળતા તકલીફમાં ફસાય
કર્મનો સંબંધ જીવને મળેલ દેહથી,જે જીવનમાં સમયસંગે ચાલીજાય
માનવદેહએ દેહને સમજણ આપીજાય,ના પશુ,પક્ષીદેહથી સમજાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
દેહ મળેલ જીવને અવનીપર,પ્રભુકૃપાની નાકોઇ જ અપેક્ષા રખાય
સમયને સમજી ચાલતો માનવી,ભુતકાળને નાકદીય પકડી જીવાય
આજ અને આવતીકાલને સમજતા,પરમાત્માની પાવનકૃપાજ થાય
જન્મમરણનો સંબંધ એકર્મનીકેડી,સમય પારખતા બંધનથી છુટાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
--------------------------------------------------------

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment