August 24th 2011

વાંધો ક્યાં?

.                  .વાંધો ક્યાં?

તાઃ૨૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે.
માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી શકે.
માનવીના જીવનમાં ધણા પ્રસંગો એવા મળે છે જેમાં બીજી વ્યક્તિઓને વાંધો હોય છે.
……..જે માર્ગદર્શન આપે છે….
* સંતાન તરીકે તમે માબાપની સેવા ન કરો તો………
* માતાના પ્રેમને મેળવી તમે સંસ્કાર ન સાચવો તો…….
* પિતાનો પ્રેમ પામવા તેમણે બતાવેલ સાચી રાહ પકડીને ન ચાલો તો……..
* પ્રભુનો પ્રેમ અને કૃપા મેળવવા સાચી ભાવનાથી તમે ભક્તિ ન કરો તો…….
* પત્નીને પતિનો અને પતિને પત્નીનો સાચા સહવાસથી સાથ ન આપો તો…….
* સંતાનની ભુલને સુધારવા તેને જીવનમાં સદમાર્ગે દોરવા માર્ગદર્શન ન આપો તો……
* દેખાવની દુનીયાથી બચવા અને માનવજીવનની સાર્થકતામાં દોરવણી ન આપો તો……
* જીવનમાં મારુ અને તારુમાં ભેદભાવ રાખી જીવતા હો તો ……….
* સંજોગ અને સમયને જો તમે પકડીને ન ચાલો તો……….
* મોહ માયા અને કળીયુગની સાથે જો જકડાઇ રહેશો તો………
* સંતાનને જીવનની સાચી કેડી પકડાવી તમે સાથ નહીં આપો તો…….
* માળાના દરેક મણકે તમે પરમાત્માનું સ્મરણ નહી કરો તો………
* માનવ જીવનની કેડીને તમે પવિત્ર રાખી પળપળ નહીં સાચવો તો……..
…………..અને…………..
=====ભક્તિનો સાચો માર્ગ મેળવી તમે જન્મ સાર્થક કરશો તો મને કોઇ જ વાંધો નથી.

++++++++++++++++++++++++++++++++++++++++++++

August 3rd 2011

ઉજ્વળ જીવન

.                  ઉજ્વળ જીવન

તાઃ૩/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર એ ઉજ્વળ જીવનનો પાયો છે જે જીવને મુક્તિ માર્ગ બતાવે છે.
.                   .જ્યાં…………
*માબાપને હંમેશાં વંદન થાય.
*સવારમાં પરમકૃપાળુ પરમાત્માની ઘરમાં પુંજા થાય.
*સવારમાં સ્નાન કર્યા પછી જ રસોડામાં પગ મુકાય.
*ભક્તિ ભાવ એજ માનવ જીવનનો અરીસો છે તે સમજાય.
*આવતીકાલને સામે રાખી જીવન જીવતાં સરળતા મળે છે.
*બાળપણમાં ભણતરને,જુવાનીમાં મહેનતને અને ઘડપણમાં ભક્તિને મહત્વ અપાય.
*લગ્ન પછી પતિની રાહને પકડી ચાલતાં સંસારી સુખ મળે છે.
*દેખાવને દુર કરી સંતાન અને પતિથી મોહ રાખવો અને ભક્તિથી માયા રાખવી.
*કોઇપણ ભુલ એ મનુષ્ય સ્વભાવ છે,પણ ક્ષમાએ મુક્તિનો માર્ગ છે.
*દેહ મળતાં જીવે સવાર,બપોર અને સાંજનો ખ્યાલ રાખવો પડે જે જરૂરી છે.
*નિસ્વાર્થ ભાવથી કરેલ કર્મ એ સફળતાનો પાયો છે.
*મારા અને તારા એ શબ્દને સમજતાં વ્યાધીઓ દુર ચાલી જાય છે.
*ભગવા ને સ્પર્શ કર્યા વગર થતી ભક્તિ એજ ભક્તિમાર્ગ છે.
*જન્મ આપનાર માતાપિતાના આશિર્વાદ એજ પ્રભુની સાચી કૃપા છે.
*દેખાવની ભક્તિ એ નર્કની સીડી છે ટીલાં ટપકાંએ એની નિશાની છે.
……..ઉજ્વળ જીવનનો પાયો એ સાચા સંતનો આશરો જ છે,જે સ્વર્ગના દ્વાર ખોલે છે.

**********************************************************

July 29th 2011

It’s True

.                         It’s True

Dt:29/7/2011                     pradip Brahmbhatt

It’s TRUE………
.            If you pray god,God will bless you.
.            If you love people they will love you.
.            If you love you kids they will love you.
.            If you write some thing,some will read it.
.            If you forget the past your future will bright.
.            If you share your hope,God will share with you.
.            If you work hard,you will achive your goal.
.            If you think twice,you will be very nice to everyone.
.            If you love your wife your kids will love you.
.            When you pray in the house it will be temple in your life.

+++++++++++++++++++++++++++++++++++++++++++++

July 19th 2011

ભુલોનો ભંડાર

                           ભુલોનો ભંડાર

તાઃ૧૯/૭/૨૦૧૧                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

        પૃથ્વી પર જ્યારથી જીવને દેહ મળ્યો છે ત્યારથી તે દેહ ભુલ કરે જ છે.
પછી તે ગમે તે જીવ હોય પવિત્ર,અપવિત્ર કે પરમાત્મા બધાજ તેમાં સંડોવાય
છે અને તે ભુલનું પરિણામ ભોગવે છે.

* શ્રી રામ હરણને મારવા નાગયા હોત તો સીતાજીને રાવણ ઉઠાવી ગયા નાહોત.
* મામા કંસને જ્યોતીષે કહ્યુ ના હોત તો શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં ના થયો હોત.
* અમેરીકાથી થોડા સમય માટે આવેલાનો દેખાવ જોઇને અહીં આવવાનો મોહ ના
   લાગ્યો હોત તો આપણા દેશમાં સુખી હોત.
* દેખાવના સાગરમાં બાળકોને ભુલથી લઈને આવતાં સંસ્કાર ભુલી જઇ અને     
   હાય શરૂ થતાં દારૂ માંસ શરૂ થાય અને પોતાની જ્ઞાતિ છોડી ઘરમાં નીચી
  કોમની વહુ કે વર લાવે છે.
* અમેરીકા પહોંચ્યા ની ભુલ પછી જ ઉંમર થતાં ધરડા ઘરમાં રહેવુ પડે અને
   સરકારથી મળેલ પૈસે જીવન જીવવું જ પડે.
* કુતરૂ કે બિલાડું ઘરમાં પાળવાની ભુલે ઘરની બહારનું જીવન ન માણી શકાય કારણ
   તેમને ખવડાવવા પીવડાવવાની જવાબદારી તમારી છે.
* મળ્યા ભાઇની પ્રીત સારી નહી તો ઘણી તકલીફો માથે પડે જ.
* બાળકોને સાચા માર્ગે જો નહીં લઈ જાવ તો તેમની બગડતી જીંદગીના જવાબદાર
   તમે જ છે.
* માન મર્યાદા અને સંસ્કાર ને સાચવવાની જવાબદારી તમારી છે.તે ના ભુલાય.
* જ્યાં બાળકો માબાપને નમન કરવાનુ ભુલી જાય ત્યાં કુદરતનો કોપ મળે છે.
* વાણી અને વર્તન એ તમારી મુડી છે તે કદી ના ભુલાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 8th 2011

ખાવાની મઝા

                            ખાવાની મઝા

તાઃ૮/૭/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

          જગતમાં પ્રસરેલા ગુજરાતીઓ જ જીવનમાં ખાવાની મઝા
માણી શકે છે અને તેનુ કારણ છે તેમની મહેનત. ભણતરને બાજુમાં
મુકીને પણ દીનરાત પારકા દેશમાં મનની શાંન્તિ હૉટલ,મોટેલ,ડેલી, 
ગેસસ્ટેશન કે ગ્રોસરી સ્ટોર કરીને પણ મેળવે છે.પણ ખાવાના ટેસ્ટમાં
તો કદી પાછા ના પડે એટલે…..

સોમવારે ભઈ અમે સમોસા ખઇએ
                     ને મંગળવારે મેથીના મુઢીયા
બુધવારે અમે બાસુદી ખાઈએ
                ને ગુરૂવારે તો ભઈ ગાજરનો હલવો
શુક્રવારે અમે સાદુ ભોજન કરીએ
            ને શનિવારે તો અમે શીરો પુરી ખઇએ
                            અને
રવિવારે તો અમે મંદીર જઈને ખઇએ.

   * મસ્ત મઝાની જીંદગી તો આને કહેવાય,છે બીજા કોઇની તાકાત.

$#$#$#$#$#%%%%%%%$#$#$#$#$#%%%%%%%%%

July 7th 2011

સદવિચાર

                            સદવિચાર

તાઃ૭/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોને માળીયે મુકતા મનને શાંન્તિ મળી જાય.
આવતી ઝંઝટને ઝાપટ મારતા એ દુર ભાગી જાય.
સુખમાં ભક્તિ સંગે રાખતાં દુઃખ દુર ચાલતુ જાય.
સંકટની સાંકળ ના શોધવા સમયને સમજીને ચલાય.
મળેલા માન અને સન્માન તો ભુતકાળ કહેવાય.
લાયકાત ને સમજી લેતા એ કદી દુર ના ચાલી જાય.
માગણી કદી માનવીથી ના કરવી એ કળીયુગી કલમ કહેવાય.
પરમાત્માની પ્રાર્થનામાં હંમેશા જીવની શાંન્તિને મંગાય.
ભજન અને ભક્તિ એ પ્રભુનીકૃપા પ્રાપ્ત કરવાની દૈહીક રીત છે.
માગણી એ માનવીની લાચારી છે,કૃપાએ જીવની લાયકાત છે.
સાચા સંતના આશિર્વાદ એ જીવની સાચી ભક્તિ છે.
દેખાવની દુનીયામાં ઘુમ્યા કરતાં ઘરમાં રહેવું એ સાચી સમજણ છે.

++++++++++++++++++++++++++++++++++++++

June 27th 2011

જરૂરીયાતી જીવ

                      જરૂરીયાતી જીવ

તાઃ૨૭/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતમાં આ જોઇએ કે તે જોઇએ
              પણ જગમાં સૌથી પહેલી તેને મા જોઇએ
નિર્મળ પ્રેમની ધાર લેવા મન નિખાલસ જોઇએ
           ઉજ્વળ આભને આંબવાને ભક્તિ સાચી જોઇએ
પિતાપ્રેમને પામવા સંતાને વંદન કરવા જોઇએ
           ભણતરની કેડી મેળવવા મહેનત કરવી જોઇએ
ભાઇ બહેનના બંધન લેવા લાગણી સાચી જોઇએ
          પતિપરમેશ્વર પારખવાને વિશ્વાસરાખવો જોઇએ
જન્મ સફળ જોવા સંતાને આશિર્વાદ લેવા જોઇએ
           કર્મના બંધન સૌને છે એ સૌએ સમજવું જોઇએ
લાગણી,મોહમાયાને દુરરાખીજીવન જીવવું જોઇએ
          સતકર્મી જીવોને જલાસાંઇનો પ્રેમ મળવો જોઇએ

++++++++========++++++++=======

June 12th 2011

એકથી દસ

                            એકથી દસ

તાઃ૧૨/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો અંબેમાતા નો,ને બગડો બહુચરામા નો
           તગડો તુળજામાતા નો,નેચોગડો ચામુંડામાનો
પાંચડો પાવાગઢવાળીમાનો,ને છઠ્ઠે છોગાવાળી
            સાતડો સંતોષીમાતા નો,ને આઠડે અષ્ટભુજાળી
નવડો મા નવદુર્ગા નો,ને દસે દશામા દયાળી

              આ તો થઈ
                           મા
                              ભક્તિની બલિહારી.

++++++++++++++++++++++++++++

October 11th 2010

મંગળ કિરણ

                          મંગળ કિરણ

તાઃ૧૧/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમતાની પકડી આંગળી,આ કાયા ચાલી જાય
મળે ભક્તિ જલાસાંઇની,તો દેહથી મુક્તિ મળી જાય.

શરણુ લીધુ સહવાસ કાજે,સંગ સંગ ચાલી જવાય
અટકી જાય આ વાસ સાથીનો,જ્યાં બુધ્ધિ બદલાઇ જાય.

મારું એ તો મેં કહ્યુ,તારું કહેતા જીભ અચકાય
આપણુ એ ભાસે છે દુર,જ્યાં સ્વાર્થને સચવાય.

ભેદની ચાદર જ્યાં ઓઢી દેહે,માનવતા ચાલી જાય
પડે સોટી ભગવાનની,ત્યાં સાચી સમજ આવી જાય.

મળે જ્યાં દેહને પ્રભાત જગે,ત્યાં સંધ્યાકાળ મળી જાય
ભક્તિ કેરા પ્રભાત મળતાં,ના કદી સંધ્યાકાળ દેખાય.

આજની આજ એ આજ છે,ગઇ કાલ એતો ભુતકાળ
સમય પકડી ચાલતા,થઇ જાય ઉજ્વળ આવતી કાલ.

મળે મમતા માની સંતાનને,તો જીભ સચવાઇ જાય
પિતાના આશિર્વાદ લેતાં,આ ભવસાગર તરી જવાય.

ઘરનુ એક જ હોય બારણુ,જ્યાંથી ગૃહમાં પ્રવેશ થાય
ભક્તિને ના બારણા કોઇ,ત્યાં પ્રભુ કૃપાએ જ પ્રવેશાય.

ભણતર છે જીવનનું ચણતર,જે બુધ્ધિથી મેળવાય
મહેનત સાચા માર્ગે કરતાં,મળેલ જન્મ સાર્થક થાય.

===============================

October 6th 2010

સમજણ શબ્દની

                          સમજણ શબ્દની

તાઃ૬/૧૦/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક.…………

કરી લીધેલા કામ જગતમાં,ના રાખવો તેમાં કોઇ ક્ષોભ
મળી જાય જ્યાં માણસાઇનો સંગ,ઉજ્વળ જીવન ચારે કોર.

………..

ખરી ભક્તિ થાય છે ઘરમાં,ના મંદીર તમારે જાવું દુર
સમયને પકડી ચાલી લેતાં જ,જીવને મળે છે ભક્તિના સુર.

…………

ગર્જતા મેધ ના વરસે તેટલા,જેટલા વાદળ છે અથડાય
શાંન્ત પાણી શીતળ લાગે,પડો ત્યારે જ ઉંડાઇ જાય સમજાઇ.

………..

ઘરનુ ઘરમાં ને બહારનુ બહાર,જ્યાં સમજ આ આવી જાય
સફળ  સંસાર આ થઇ જ જાય,ને જીવન ઉજ્વળ પાવન થાય.

????????

……….

ચતુરાઇના એક ચણથી,જીવનમાં સાચે માર્ગ મળે
શોધતા આખી જીંદગી ભાઇને,ના સાચી કોઇ પાળ મળે.

……….

છળ કપટથી દુર રહેતાં,જગે પ્રેમ પારકાનો મેળવાય
ઉજ્વળ જીવને કેડી મેળવતાં,જન્મ સાર્થક જીવનો જીવાય.

………..

જન્મ મરણ છે જીવના બંધન,છે અણસાર પરમાત્માનો
સાચી પ્રીત જ્યાં થાય પ્રભુથી,મળે મુક્તિ જીવને જન્મમરણથી.

……….

ઝંઝટ જગમાં દેહને વળગે,જે  દેખાય છે અઢળક મોટી
આવે આંગને વ્યાધીઓ દોડી,એતો જીવને દઇ જાય છે સોટી

.????????

……….

ટળી જાય આ મોહ માયા જગતના,ને દુર ભાગે છે દ્વેષ
મળે પ્રેમ સાહિત્ય સરીતાનો હ્યુસ્ટનમાં, ના પહેરવો બીજો વેશ.

………

ઠળીયો એક મળે જગતમાં,જે જમીનમાં જ દટાય
ઉગી નીકળે અવનીએ,ત્યાં અજબ તેનો સ્વાદ મેળવાય

………

ડગલુ ભરવું સમજીને,તો ના ક્યાંય કદીય ફસાય
સાચવવાની ટેવ પડે જ્યાં,ત્યાં પરમાત્મા રાજી થાય

………

ઢગલો જોઇ નાંણાનો,ના કદી મોહ મનથી રખાય
રાખતા મોહ જીવનમાં,જીવન ઢગલાંમાં દટાઇ જ જાય

……..

ણનો સંબંધ ફેણથી છે,જે રાહ સમયની જુએ
મળી જાય એક જ તક,ત્યાં જીવનમાં ઝેર ભેળવે

………

તમારું તમારું જીભથી બોલાય,જ્યાં ખાડાને ખોદાય
પડીને કોઇ બહાર નીકળે,ત્યાં મેં મદદ કરી  બોલાય

………

થવાનું જગમાં ના જાણે કોઇ,છતાં ભોળા જ ભોળવાય
નાણાંના ચમત્કારને જોતાં,અતિના અણસારમાં લબદાય

………

દાન કરવું ના માન લેવા,એ તો અભિમાન જ કહેવાય
સાચું દાન પ્રેમનું જગતમાં,જેનાથી માનવતા મેળવાય

……..

ધજા ધર્મની કળીયુગમાં,ના જીવનો ઉધ્ધાર કરી જાય
લહેર કરે ને માણે મઝા,અંતે કળીયુગમાં જ એ ભટકાય

……..

નથી રહ્યુ અભિમાન રાજા રાવણનું,ઉંમરો જ્યાં ઓળંગાય
પરમાત્માની સોટી એક પડતાં,નાશ થાય છે આ અવતાર

……..

પાદુકાની પરખ થતાં જ,શીશ આ ઝુકી જાય
એક અણસાર મળતાં,જીવન આ બદલાઇ જાય

………

ફરક એટલો પ્રેમમાં,એક દેખાવે દોરી જાય
બીજો મળે વણ માગ્યો,જે દીલમાં પ્રસરી જાય

………

બને આ જીવન સાર્થક,જ્યાં દેહને સાચી રીતે સમજાય
પગલે પગલુ સાચવી લેતાં,મોહમાયા દુર ભાગી  જાય

………

ભાગ્ય લખેલા મિથ્યા થાય,જ્યાં જલાસાંઇ ને ભજાય
દુઃખના ડુંગર નજીક ના આવે,એતો પાતાળમાં પહોંચી જાય

………

મળેલ માનવ જન્મ જીવને,જ્યાં જીવથી મુક્તિને મેળવાય
ડગલે ડગલુ સમજી ચાલતાં,જીવ પર પ્રભુકૃપા થઇ જાય

………

યાદ કરી ભુતકાળને  જગતમાં,જીવન ના વેડફાય
આવતી કાલની ચિંતા રહેતા,ઉજ્વળ ભવ થઇ જાય

……….

રામ નામની લગની સાચી,દેહ ભક્તિ એ મલકાય
કૃપા મળતા જીવને જીવનમાં,સઘળુ મળી જાય

………

લખેલા લેખ દેહના અવનીએ,કદી મિથ્યા કોઇથીય કરાય
સરળતાનો સંગ મળે જીવનમાં,જ્યાં ભક્તિ સાચી થાય

………

વંદન કરવા માતપિતાને,ને ગુરૂજીનુ કરવુ સન્માન
મળી જાય આશિર્વાદ બંન્નેના,સાર્થક જન્મ બને સાકાર

………

શું  ની વ્યાધિ સૌને જગમાં,ના કોઇથીય તરછોડાય
રાજા રંક કે હોય ભિખારી,સૌ એમાં જ છે લબદાય

………

ષનો સંબંધ સંતોષથી,જે આંખ બંધ કરી અનુભવાય
મળી જાય મહેંક પ્રભુની જ્યારે,ત્યારે એ તો સમજાય

………

સરસ મઝાની સોટી દેખાય,પણ પડે જ્યાં બરડે આજે
ત્યારેજ યાદ આવે માતાનુધાવણ,ના બીજી સોટી કોઇ માગે.

……….

હતો એકલો જવાનો એકલો,શાને વ્યાધી વળગી આજ
વમળમાં આ જીવ બંધાણો,સુધરશે ક્યાંથી આવતી કાલ

………

ળ ને સંબંધ પળપળથી,જ્યાં એ સચવાઇ  જાય
ના વ્યાધીની પળ આવે,એતી દુરથી જ ભાગી જાય

ક્ષ………

ક્ષતી એક જો મળે જીવનમાં,તો ચેતીને તમે ચાલજો
ભવસાગરથી ઉગરી જાશો,ને જન્મ ઉજ્વળ પણ કરશો.

જ્ઞ………

જ્ઞાનની જ્યોત મળે ભક્તિથી,જે સદમાર્ગે જ દોરી જાય
ધીમે ધીમે પકડી લેતાં જીવનમાં,જન્મ સફળ કરી જાય

===============================

« Previous PageNext Page »